એક અમેરિકી કંપનીએ દાવો કર્યો છે કે તેમણે એવું ઓઇન્ટમેન્ટ એટલે કે મલમ બનાવ્યું છે જે લગાડવાથી માત્ર 30 સેકન્ડની અંદર જ કોરોના વાયરસનો ખાતમો થઈ જાય છે. ન્યુઝ એજન્સી PTIએ આપેલી માહિતી મુજબ આ મલમને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેશનથી મંજૂરી પણ મળી ગઈ છે.
કોરોના વિશે અમેરિકી કંપનીનો ચોંકાવનારો દાવો
બનાવ્યું છે એવું મલમ જે માત્ર 30 સેકંડમાં ખતમ કરશે કોવિડને
નાક પર લગાડવાથી કોરોના સંક્રમણનો ખતરો ઓછો થઈ જશે
અમેરિકાની ફાર્મા કંપની Advanced Penetration Technology LLC એવો મલમ બનાવવાનો દાવો કર્યો છે કે કોવિડ -19 વાયરસ તેના સંપર્કમાં આવતા જ 30 સેકંડમાં નષ્ટ થાય છે. સમાચાર એજન્સી PTIના સમાચાર અનુસાર, આ મલમને અમેરિકન ડ્રગ રેગ્યુલેટર યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે તે "નોન પ્રિસ્ક્રીપ્શન ઓવર ધ કાઉંટર" (ઓટીસી મલમ) તરીકે વેચી શકાય છે. કંપનીનો દાવો છે કે આ મલમ કોરોનો વાયરસ સહિત અન્ય વાયરલ ચેપને રોકવા, સારવાર અને વાયરસને નષ્ટ કરવા સમર્થ છે. આ મલમમાં કોરોના વાયરસને દૂર કરવાની ક્ષમતા છે. નાક ઉપર આ મલમ લગાવવાથી કોરોના વાયરસથી બચી શકાય છે.
યુએસ ફાર્મા રેગ્યુલેટરે આપી મંજૂરી
અમેરિકાની સિવાય લંડન સ્થિત રીસર્ચ લેબ વાયરોલોજી રીસર્ચ સર્વિસેઝ લિમિટેડે પણ આ ઓઇન્ટમેન્ટ પર બે મહિના સુધી ટેસ્ટિંગ કર્યું હતું અને જણાવ્યું હતું કે આ મલમ કોવિડ વાયરસ અને ઇનફ્લુએન્ઝા A વાયરસને ખતમ કરવામાં કારગર સાબિત થયું છે અને તેને USFDAથી મંજૂરી પણ મળી ગઈ છે .
કોરોના વાયરસના સંક્રમણથી બચાવશે આ મલમ
Advanced Penetration Technology LLCના એક સિનિયર અધિકારીના જણાવ્યા પ્રમાણે એ જોવામાં આવ્યું છે કે મોત ભાગના સંક્રમણના કેસમાં એ જોવામાં આવ્યું છે કે વાયરસ નાકના છિદ્રથી શરીરની અંદર [પ્રવેશ કરે છે અને સંક્રમણ ફેલાવે છે, તેથી આ મલમને જો નાક પર લગાડવામાં આવે તો તે કોરોના વેરસને તેના એન્ટ્રી ગેટ પર જ ખાતાં કરી નાખશે અને કયર્સના ચેપને ફેલાતા પણ રોકશે.
વાયરસને માત્ર 30 સેકન્ડમાં જ ખતમ કરી નાખવાનો દાવો
સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ તેના એક નિવેદનમાં જણાવ્યું હતું કે રિસર્ચ લેબથી પ્રાપ્ત એક રિપોર્ટ પ્રમાણે T3X treatment દરમિયાન આ ઓઇન્ટમેન્ટ વાયરસને 30 સેકંડમાં જ ખતમ કરવાંઅ સક્ષમ સાબિત થયું છે.
શું કહ્યું કંપનીના ફાઉન્ડરે?
Advanced Penetration Technology LLCનામની કંપનીના સંસ્થાપક ડો. બ્રાયન હયુબરે કહ્યું હતું કે ટ્રાયલ્સમાં આ મલમ લગાડ્યા બાદ સંક્રમણ ફેલાવી શકે એવો કોઈ પણ વાયરસ જીવિત જોવા મળ્યો નહોતો. અમને આશા છે કે આ એક ખૂબ જ મહત્વપૂર્ણ શોધ સાબિત થશે, જે નાકના છિદ્ર દ્વારા ફેલાતા કોરોના વેર્સના સંક્રમણના જોખમને ઓછું કરી નાખશે.