ભારતની પ્રથમ ઉડતી કારનું કોન્સેપ્ટ મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. અને સોમવારે તેની સમીક્ષા કરવામાં આવી હતી
ચેન્નઈ સ્થિત એક સ્ટાર્ટ અપ કંપની દ્વારા આ કાર બનાવાઈ
મેડિકલ ઈમરજન્સી માટે મળશે મદદ
ઓક્ટોબરમાં લંડન ખાતે આ કાર લોન્ચ કરાશે
ચેન્નઈની એક સ્ટાર્ટ અપ કંપની દ્વારા આ કાર બનાવઈ
હવે તમને દેશમાં ખૂબ જલ્દી ઉડતી કારમાં મુસાફરી કરી શકશો જી હાં.. ભારતમાં કાર સાથે આકાશમાં ઉડવાનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને ફ્લાઈંગ કારને ઉડાવવાની પરવાનગી આપી છે.ઘણી કંપનીઓ આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે. ત્યારે વિનતા એરોમોબિલીટી કંપની ઓફ ઈન્ડિયાનું નામા પણ આ યાદીમાં સમાવવામાં આવ્યું છે. હાઈબ્રિડ ફ્લાઈંગ કાર ચેન્નઈ સ્થિત સ્ટાર્ટઅપ કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે.કંપનીએ પહેલીવાર નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને કારનું મોડેલ બતાવ્યું હતું.
Delighted to have been introduced to the concept model of the soon-to-become Asia’s First Hybrid flying car by the young team of VINATA AeroMobility: Civil Aviation Minister Jyotiraditya Scindia (1/2) pic.twitter.com/Jqtz9gbikk
આ મામલે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, તેઓ વિનાતા એરોમોબિલીટીની એક યુવાન ટીમને મળ્યા હતા અને કોન્સેપ્ટ ફ્લાઇંગ કારની તપાસ કરી હતી. તેમણે એશિયાની પ્રથમ હાઇબ્રિડ ફ્લાઇંગ કારની સંપૂર્ણ સમીક્ષા કરી. તેમને વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે આ કાર વાસ્તવમાં તૈયાર થઈ જશે ત્યારે લોકો અને સામાનને અહીંથી ત્યાં ખસેડી શકાય છે. આ ઉપરાંત, આ ઉડતી કાર મેડિકલ ઈમરજન્સીમાં પણ ઘણી મદદ કરશે.
આ ફ્લાઈંગ કાર ઓક્ટોબરમાં લોન્ચ થશે
કપંનીએ 14મી ઓગસ્ટ 2021ના રોજ પોતાની સત્તાવાર યુટ્યુબ ચેનેલ પર 36 સેકન્ડનો એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયો મુજબ આ કાર 5મી ઓકટોબરે લંડનમાં લોન્ચ થઈ શકે છે. જો કે, તેની કિંમત અંગે હજી સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
હાઈબ્રિડ કાર શુ છે
તમને જણાવી દઈએ કે હાઈબ્રિડ કાર સામાન્ય કાર જેવી લાગે છે, પરંતુ તેમાં બે એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પેટ્રોલ/ડીઝલ એન્જિન સાથે ઇલેક્ટ્રિક મોટર છે. આ ટેકનિકને હાઇબ્રિડ કહેવામાં આવે છે.હાલ મોટાભાગની કંપનીઓ આ પ્રકારની કાર પર કામ કરી રહી છે. મેડ ઇન ઇન્ડિયા ફ્લાઇંગ કાર વીજળીની સાથે બાયો ફ્યુઅલ પર પણ ચાલશે, જેથી તેની ઉડવાની ક્ષમતા વધારી શકાય. જો કે, તેની ક્ષમતા વિશે હજુ સુધી માહિતી મળી નથી. કંપની દ્વારા સિંધિયા સમક્ષ રજૂ કરાયેલા ખ્યાલ મુજબ, બે મુસાફરો તેમાં ઉડાન ભરી શકશે.