જીવનમાં ખોરાકનુ મહત્વપૂર્ણ સ્થાન છે. રામાયણમાં પણ કહેવામાં આવ્યુ છે કે જેવો ખોરાક કરીયે તેવા વિચારો આવે. શુદ્ધ શાકાહારી ભોજનનો ભોગ ભગવાનને ચઢાવીને જમવાથી આપણા વ્યવહારમાં નમ્રતા આવે છે ગુસ્સા પર કાબુ રહે છે અને મન એકદમ શાંત રહે છે.
જ્યારે માંસાહારી ખોરાક આરોગવાથી વ્યવહારમાં હિંસક વિચારો આવે છે. પુરાણોમાં આવા ખોરાકને શૈતાની ખોરાક કહેવામાં આવે છે. તેને માનવીય આહાર ગણવામાં આવતો નથી છતાં લોકો માંસાહારી ખોરાક ખૂબ જ ખાય છે માંસાહારી ખારાક ખાઇને લોકો પોતાના આરોગ્ય સાથે તો છેડછાડ કરે જ છે સાથે પાપના ભગીદાર પણ થાય છે.
આજે અમે તમને જણાવશું ભોજન કરવાના એવા કેટલાક ઉપાય કે જે કરવાથી તમને એક નહીં પણ અનેક પ્રકારના ફાયદા થશે. વાસ્તુ શાસ્ત્ર મુજબ પૂર્વ દિશા તરફ બેસીને ભોજન કરવાથી આયુષ્યમાં વધારો થાય છે.
આ ઉપરાંત ઘરમાં નાણાંની તંગી સર્જાઈ રહી છે તો પશ્ચિમ દિશા તરફ બેસીને ભોજન કરવું જોઈએ. બાળકોએ ઉત્તર દિશા તરફ બેસીને ભોજન કરવું જોઈએ જેથી તેમની ભણવાની અને યાદ શક્તિની ક્ષમતા વધે છે અને કોઈપણ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે.
આ ઉપરાંત જ્યોતિષ શાસ્ત્ર મુજબ દક્ષિણ દિશામાં ફરીને ભોજન કરવાથી એક યજ્ઞ જેટલુ ફળ મળે છે. મોક્ષ પ્રાપ્તિ માટે ઉત્તર દિશા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે જેથી ઉત્તર દિશા તરફ ફરીને ભોજન કરવાને અતિ ઉત્તમ માનવામાં આવે છે.