ચાટનું નામ આવે કે પછી તેની તસવીર જોઇએ એટલે તરત જ મોઢામાં પાણી આવી જાય પરંતુ તમને ચાટનો ઇતિહાસ ખબર છે?
મસાલા ચાટનો ઇતિહાસ છે વર્ષો જૂનો
મુગલોના સમયમાં બની હતી પહેલી ચાટ
દિલ્હી ચાટ કેમ નામ પડ્યુ હતુ?
પાણીપુરી, ભેળપુરી, દિલ્હી ચાટ અને ઘણી બધી વસ્તુઓનો સ્વાદ ખુબ સરસ હોય છે અને એક સમયે આપણે ચાટ ખાવા માટે જમવાનુ પણ સ્કીપ કરી દઇએ પરંતુ ચાટનો ઇતિહાસ જાણીને તમને વધારે નવાઇ લાગશે.
ચાટ ખાવાની શરૂઆત ક્યારે થઇ હતી? આ વાત ક્યારેય તમે વિચારી છે? એક મહામારીના ઇલાજ તરીકે ચાટ ખાવાની શરૂઆત થઇ હતી.
ચાટ એક એવુ સ્ટ્રીટફૂડ છે જેના વિશે વિચારીને જ મોઢામાં પાણી આવવા લાગે છે. તેને ખાવા માટે કોઇ ચાન્સ નથી જોઇતો, ગમે ત્યારે તમે તેને ખાઇ શકો છો અને કેટલીક ચાટ તો હેલ્ધી પણ હોય છે.
દવા તરીકે ખવાતી હતી ચાટ
ઘણી વાર્તાઓ ચાટને લઇને સામે આવી છે પરંતુ તેમાની એક ફેમસ છે કે જેમાં મુગલ બાદશાહ શાહજહાંના દરબારમાં ચાટ ખાવાની શરૂઆત થઇ તેવું કહેવામાં આવે છે.
શું છે ઇતિહાસ
16મી સદીમાં શાહજહાંના શાસનમાં કોલેરા બિમારી ફેલાઇ ગઇ હતી અને ઘણા પ્રયત્નો છતાં તે બિમારી જવાનું નામ લઇ રહી નહોતી. વૈધ પણ તેને નિયંત્રણમાં લાવી શક્યા નહોતા.
કોલેરા ફેલાવા પર એક ખાસ ઇલાજની સલાહ આપવામાં આવી હતી. જેના અંતર્ગત એક વ્યંજન બનાવવાની સલાહ આપવામાં આવી હતી. જેમાં વધારે માસાલાનો ઉપયોગ કરવામાં આવે જેથી પેટની અંદરના બેક્ટેરિયા મરી જાય. બસ અહીથી મસાલા ચાટનો જન્મ થયો હતો. કહેવામાં આવે છે કે તે ચાટને આખી દિલ્હીએ ખાધી હતી.
દુનિયાભરમાં ભારતની ચાટ ફેમસ છે. તે સમયે હાકિમ અલી કે જે ચિકિત્સક હતા તેમણે કહ્યું હતુ કે ગંદા પાણીના કારણે આ બિમારી ફેલાઇ રહી છે ત્યારે તેમની સલાહ પર લાલ મરચુ, આંબલી, ધાણા અને ફૂદીના જેવી વસ્તુઓના ઉપયોગથી આ પ્રકારની ચાટ તૈયાર કરવામાં આવી હતી.