ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે દર મહિને ગણેશ ચતુર્થીના દિવસે વિનાયક ચતુર્થી વ્રત રાખવામાં આવે છે.
2022માં એક જ વાર બનશે આ સંયોગ
ઉધાર અને મુશ્કેલીમાંથી મળશે મુક્તિ
આ વ્રત કરી લેવાથી થઇ જશો ન્યાલ
જો વિનાયક ચતુર્થી મંગળવારે આવે તો તેને અંગારક ચતુર્થી કહેવાય છે. અંગારક ચતુર્થીનો શુભ સંયોગ 7મી ડિસેમ્બર એટલે કે આજે બન્યો છે. આવો શુભ સંયોગ 05 એપ્રિલ, 2022 ના રોજ જ બનશે. વર્ષ 2022માં આ શુભ સંયોગ માત્ર એક જ વાર બનશે.
બ્રહ્માજીએ કહ્યું કે આ વ્રત શુભ છે
ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. શિવપુરાણ અનુસાર ગણેશજીનો જન્મ શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે બપોરે થયો હતો. ગણેશના જન્મથી જગતમાં શુભતા આવી હતી તેથી જ બ્રહ્માજીએ ચતુર્થીના વ્રતને શ્રેષ્ઠ ગણાવ્યું છે. અંગારક ચતુર્થી દેવાથી મુક્તિ મેળવવા માટે પણ ખાસ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ગણેશજીની પૂજા કરવાથી દેવા અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
મંગળની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ગ્રહોનો સેનાપતિ છે. તે મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. અંગારક ચતુર્થી પર ગણેશજીની પૂજા કરો. ત્યારબાદ મંગળને લાલ ફૂલ અર્પણ કરો. શિવલિંગના રૂપમાં મંગળની પણ પૂજા કરવામાં આવે છે. જળમાં સિંદૂર મિક્સ કરીને મંગળને શિવલિંગના રૂપમાં અર્પણ કરો. આ સિવાય શિવલિંગ પર રાંધેલા ચોખા ચઢાવો. આ પછી 108 વાર 'ઓમ અંગારકાય નમઃ' નો જાપ કરો.
વિનાયક ચતુર્થીના દિવસે કરો આ ઉપાય
વિનાયક ચતુર્થીના દિવસે હળદરથી ભગવાન ગણેશની મૂર્તિ બનાવો. આ મૂર્તિની પૂજા કરો અને તેને ઘરમાં રાખો. આમ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. આ સિવાય ઘરના લોકો વચ્ચે સારા સંબંધ રહે છે. આ સિવાય વિનાયક ચતુર્થીના દિવસે ગાયના છાણમાંથી ગણેશજીની મૂર્તિ બનાવી તેની વિધિવત પૂજા કરો. વિધિવત પૂજા કર્યા પછી તેને ઘરમાં રાખો. જેના કારણે પરિવારના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે.