રાજસ્થાનનું એક ગામ 350 વર્ષથી કુંવારું છે. જાણો આ ગામ વિષે વિગતવાર
350 વર્ષથી છે આ ગામ કુંવારું
રાજસ્થાનમાં સ્થિત ગામ
દુલ્હા-દુલ્હનની ચુંદડી મંદિરમાં ચઢાવાય છે
350 વર્ષથી છે આ ગામ કુંવારું
રાજસ્થાનના ઠેઠ રેતીલા ઇલાકામાં સ્થિત બાડમેર જીલ્લામાં એક ગામ એવું પણ છે જ્યાં લગભગ 350 વર્ષથી કોઈપણ ઘરમાં લગ્ન થયા નથી. આ ગામનું દરેક આંગણું ગયા 350 વર્ષથી કુંવારું છે. કહેવામાં આવે છે કે, ઘરનાં આંગણામાં જ્યાં સુધી પુત્રીનાં વિવાહ ન થઇ જાય, ત્યાં સુધી આંગણું કુંવારું જ માનવામાં આવે. બાડમેરનાં આટી ગામમાં બધા લગ્ન મંદિરમાં જ થાય છે. માન્યતા છે કે જો લગ્ન મંદિરમાં ન થયા તો વહુ કે દીકરીનો ખોળો ક્યારેય નહી ભરાય. આ માન્યતાનાં ચાલતા આજે પણ ગામના છોકરા છોકરીઓનાં લગ્ન ચામુંડા માતાનાં મંદિરમાં થાય છે.
રાજસ્થાનમાં સ્થિત ગામ
આટી ગામ બાડમેર જીલ્લા મુખ્યાલયથી લગભગ 10 કિલોમીટરની દૂરી પર સ્થિત છે. આ ગામમાં મેઘવાલ સમાજના જયપાલ ગોત્રનાં પરિવાર રહે છે. આ ગામની તળેટીમાં મેઘવાલ સમાજના જયપાલ ગોત્રની કુળદેવી માં ચામુંડા માતાનું મંદિર સ્થિત છે. ગ્રામીણો અનુસાર, ઘરના આંગણમાં જ્યાં સુધી પુત્રીનાં વિવાહ ન થાય ત્યાં સુધી આંગણું કુંવારું જ માનવામાં આવે છે. પુત્રીનાં વિવાહનું આયોજન પાઠ બિઠાઈથી શરુ થાય છે. પછી ફેરા, ભોજન તથા વિદાય સુધી બધા કાર્યક્રમ આ મંદિરમાં જ સંપન્ન થાય છે. ત્યાં સુધી કે જાનને પણ મંદિરમાં જ ઉતારો મળે છે.
લગ્નનાં બધા રિવાજો થાય છે મંદિરમાં
મંદિર કમિટીઆ અધ્યક્ષ મેહતારામ જયપાલ જણાવે છે કે એવું નથી કે કેવળ પુત્રીઓનાં લગ્ન જ મંદિરમાં થાય છે. પુત્રનાં લગ્નનાં રિવાજ પણ આ મંદિરમાં જ કરવામાં આવે છે. જાનનાં આગમન પર નવવધૂને પણ મંદિરમાં જ રોકવામાં આવે છે. ત્યાર બાદ રાત્રે જાગરણ તથા આવતા દિવસે સવારે પૂજા-પાઠ કરી દુલ્હનનો ગૃહ પ્રવેશ કરાવવામાં આવે છે.
350 વર્ષ પહેલા વસ્યું હતું આ ગામ
ગ્રામીણોનું માનીએ તો લગભગ 350 વર્ષ પૂર્વ જેસલમેરનાં ખુહડી ગામના જયપાલ ગોત્રનાં લોકો આટી ગામમાં આવીને વસ્યા હતા. ત્યારે તેઓ ખુહડીથી લાકડીના પારણામાં માતાજીની મૂર્તિ લઈને આવ્યા હતા. આટી ગામમાં તત્કાલીન જાગીરદાર હમીરસિંહ રાઠોરે અહી વસવા માટે જગ્યા આપી હતી. ત્યાર બાદ જયપાલ ગોત્રનાં લોકોએ મંદિર બનાવીને માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી.
છોકરીનાં ખોળા સાથે જોડાયેલ માન્યતા
ત્યાર બાદ ગ્રામીણોએ મંદિરને જ પોતાનું ઘર માંની લીધું તથા બધા જ લગ્ન મંદિરમાં કરવાનું શરુ કરી દીધું. પછી સમય સાથે આ પરંપરા બની ગઈ,. આ ગયા 350 વર્ષથી કાયમ છે. એવી માન્યતા છે કે આ મંદિરમાં લગ્ન ન કરવા પર છોકરીનો ખોળો સુનો રહી જાય છે.
દુલ્હા-દુલ્હનની ચુંદડી મંદિરમાં ચઢાવાય છે
જયપાલ ગોત્રનાં કુળદેવી ચામુંડા માતા મંદિરમાં જ લગ્ન કરાવવું શુભ માનવામાં આવે છે. મંદિરમાં ભાદવા તથા માઘ સુદી સપ્તમીએ મેલો ભરાય છે. આ મેળામાં લોકો પૂજા અર્ચના કરે છે. નવા દુલ્હા-દુલ્હનની ચુંદડી મંદિરમાં ચઢાવવામાં આવે છે. આજે દરેક આ મંદિર વિષે સાંભળીને અચંબિત તો જરૂર થતું હશે પરંતુ આ વાસ્તવિકતા છે.