પીઓકેમાં ભારતીય વાયુદળ દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક કર્યાના ગણતરીના કલાકોમાં ભારતીય વાયુદળોએ કચ્છની સરહદમાં ઘુસી આવેલા પાકિસ્તાની ડ્રોનને ફૂંકી માર્યુ હતુ. પાક.ના ડ્રોનને ફૂંકી મારવા માટે ભારતમાં પહેલી વખત કચ્છની ભૂમિ ઉપર સ્પાઈડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો કેવી છે આ સ્પાઈડર ડિફેન્સ પ્રણાલિ અને કચ્છ બોર્ડર યુદ્ધની દ્રષ્ટીએ કેટલી છે સંવેદનશીલ જોઈએ આ અહેવાલ.
પાક. હસ્તકના કાશ્મિરમાં ઘુસીને ભારતીય વાયુદળોએ આંતકી સંગઠનના ટેરરિસ્ટ કેમ્પો પર એરસ્ટ્રાઈક કરી હતી. આ એરસ્ટ્રાઈકના ગણતરીના કલાકોમાં કચ્છના અબડાસાના નુંધાતડ નજીક પણ પાકિસ્તાનના માનવ રહિત વિમાનને ફુંકી મારવામાં આવ્યું હતું. પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવા માટે ઈઝરાયેલની સ્પાયડર એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્પાયડરના ટુંકા નામે ઓળખવામાં આવતી ઈઝરાયેલી એર ડિફેન્સ મિસાઈલ પ્રણાલિનું આખુ નામ સરફેસ ટુ એર પાયથોન એન્ડ ડર્બી આ સિસ્ટમ પાયાથોન-ફાઈવ અને ડર્બી મિસાઈલાથી સજજ છે. ભારતમાં પહેલીવાર કચ્છની ભૂમિ પર સ્પાઈડર સુરક્ષા પ્રણાલિનો ઉપયોગ થયો છે. ઈઝરાયેલી એર ડિફેન્સ પ્રણાલિને વર્ષ-2017માં સંરક્ષણ દળમાં સામેલ કરાઈ હતી. આ ડિફેન્સ પ્રણાલિ આકાશમાં 9 કિલોમીટરથી લઈને 15 કિલોમીટર સુધી ઉડતા કોઈ પણ ફાઈટર જેટને તોડી શકે છે.
ટૂંકી અને મધ્યમ રેંજની એર ડિફેન્સ સિસ્ટમ ટ્રક પર ફીટ કરીને ગમે ત્યાંથી દાગી શકાય તેવી મોબાઈલ સિસ્ટમ છે. ગમે તે વાતાવરણમાં અને ગમે તે સમયે જવાબી કાર્યવાહી માટે આ સિસ્ટમ કાર્યરત હોય છે. આકાશમાં 9 કિલોમીટરાથી લઈને 15 કિલોમીટર સુધી ઉડતા કોઈ પણ ફાઈટર જેટને તે તોડી શકે છે. ત્યારે ડ્રોન ઘુસી આવ્યાની ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા કચ્છની સરહદે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે. એક એવી પણ શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે, ભારતની સલામતી વ્યવસ્થાની ચકાસણી માટે જ કદાચ પાકિસ્તાને આ ડ્રોન મોકલ્યું હોઈ શકે છે. તેવામાં હવે સરહદની સલામતી સાથે કોઈ બાંધછોડ થઈ શકે તેમ નથી. એટલે પાકિસ્તાનની એક એક નાપાક ચાલનો જડબાતોડ જબાબ દેવા માટે કચ્છમાં આર્મી, એરફોર્સ અને કોસ્ટગાર્ડ સહિતની કેદ્રીય તાથા રાજ્ય સરકારની પોલીસ વગેરે સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં છે.
તો બીજી તરફ સલામતીના ભાગરૃપે માછીમારોને દરિયો ન ખેડવા સુચના જારી કરવામાં આવી છે. સરહદે મિસાઈલ જેવા ભારે હાથયારો સાથે ભારતીય સૈન્ય ગોઠવાઈ ગયું છે. ભુજ સહિતના સૈન્યના મથકો ખાતેથી મિસાઈલ જેવા ભારે હથિયારો સાથે વાહનો સમયાંતરે સરહદ સુધી સતત મોકલવામાં આવી રહ્યા છે. લોકોમાં ભય ન ફેલાય તે માટે સૈન્ય દ્વારા સમયનું અંતર રાખીને વાહનો રવાના કરવામાં આવી રહ્યા છે.
કચ્છની બોર્ડર યુદ્ધ માટે સોફ્ટ ટાર્ગેટ બની શકે છે
લખપતથી પાકિસ્તાન માત્ર 9 કિલોમીટરના અંતરે આવેલું છે. કચ્છની બોર્ડર યુદ્ધના સંદર્ભે પાકિસ્તાન માટે સોફ્ટ ટાર્ગેટ છે. જમ્મુ-કાશ્મીરની સરહદ પહાડી વિસ્તાર છે. વળી સંવેદનશીલ હોવાના કારણે ત્યાં સુરક્ષા વ્યવસૃથા ખૂબ જ મજબૂત હોય છે. જ્યારે રાજસ્થાન સરહદ રેતાળ રણ પ્રદેશ હોવાથી યુદ્ધ કરવું અહી મુશ્કેલ છે. એ જોતાં કચ્છની એકમાત્ર બોર્ડરથી છેક પાકિસ્તાન સુધી ભૂમિગત રસ્તો છે. આ ઉપરાંત સરહદનો મોટાભાગનો વિસ્તાર સપાટ મેદાનનો હોવાથી કચ્છની બોર્ડર યુદ્ધ માટે સોફ્ટ ટાર્ગેટ બની શકે છે. જો કે ભારતીય સૈન્ય અને વાયુદળ સહિતની સુરક્ષા એજન્સીઓ સલામતી માટે કોઈ બાંધછોડ કરવા માગતી નથી. માટે અહી સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.
જો કે, તેમ છતાં હાલના તબક્કે કચ્છ સરહદે ડિફેન્સની ગોઠવણ સિવાય તનાવભરી કોઈ સ્થિતિ નથી અને લોકોએ પણ ચિંતા કરવાની જરૂર નથી. લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા તેમજ કોઈ પણ વાતને સત્તાવાર સમર્થન મળે પછી જ માનવા અપીલ કરવામાં આવી છે.