ખાનપુર ગામમાં સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો
ગામમાં એક જ સપ્તાહમાં 47 કેસ નોંધાયા
કોરોનાના વધતા કેસને લઈ વડોદરાના ખાનપુર ગામનો મોટો નિર્ણય કર્યો છે. ખાનપુર ગામમાં સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો છે. ગામમાં એક જ સપ્તાહમાં 47 કેસ નોંધાયા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગઈકાલે ખાનપુરના એક વૃદ્ધનું કોરોનાથી મૃત્યું થયું હતું. ગામનાં પટેલ ફળીયામાં જ 35થી વધુ કેસ સામે આવ્યા છે. ગ્રામ પંચાયતે ખાનપુર ગામમાં લોકડાઉન જાહેર કર્યું છે. આ સાથે પટેલ ફળીયામાં અવરજવર પર પણ પ્રતિબંધ મુકાયો છે. 31 માર્ચ સુધી ખાનપુરના ગામલોકો લોકડાઉનનું પાલન કરશે.
અમદાવાદના મેયરે લોકોને કરી અપીલ
અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઇને મેયરે અપીલ કરી છે. કોરોના મામલે અમદાવાદ મેયરની જનતાને અપીલ કરતા જણાવ્યુ છે કે, નાગરિકો બિનજરૂરી મેળાવડા ટાળે. તેમજ નાગરિકો માસ્ક પહેરે, સામાજિક અંતરનું પાલન કરેનાગરિકો માસ્ક પહેરે, સામાજિક અંતરનું પાલન કરે. આ સાથે અમદાવાદ કોર્પોરેશન દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે.
સુરતમાં બહારના રાજ્યમાંથી આવતા લોકોને થવું પડશે હોમ ક્વોરોન્ટાઈન
તો હવે અન્ય રાજ્યમાંથી સુરત આવનારને સાત દિવસ માટે હોમ ક્વોરોન્ટાઇન રહેવું પડશે. સુરત મહાનગર પાલિકાએ જાહેરનામામાં સુધારો કર્યો છે. આ મુજબ ગુજરાત બહારથી આવનારને હોમ ક્વોરોન્ટાઇન થવું પડશે. અગાઉ સુરત બહારથી આવનાર માટે આ પ્રકારે આદેશ કરવામાં આવ્યો હતો.