માણસ પોતાની લાઇફમાં પૈસાને જ વધારે મહત્વ આપે છે. બાળપણથી લઇને જીવનના અંતિમ ક્ષણમાં માણસને જીંદગીમાં પૈસાની જરૂર પડે છે. માણસ સવાર સાંજ પૈસા માટે દોડાદોડી કરે છે. કારણ કે એ ખુદ અને પોતાના પરિવારને સારી જીંદગી આપી શકે.
ક્યારેક માણસ પૈસા ખઊબ કમાઇ લે છે પરંતપ ઘરમાં પૈસા ટકતા નથી. ક્યાંતો ગમે તે કારણોસર માણસને પૈસાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાય અપનાવે છે.
હવે મનમાં લક્ષ્મી માતાનું ધ્યાન કરતાં મનીપ્લાન્ટની પાસે જાવ અને દોરાને મનીપ્લાન્ટની ચારે બાજુ બાંધી દો. આ ઉપાય ખૂબ જ કારગાર છે અને તમને થોડા જ સમયમાં ધીરે ધીરે અસર જોવા મળશે.
આજે અમે તમને એક એવા ટોટકા માટે જણાવી રહ્યા છીએ જેને કરવાથી તમે તમામ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. એમાં ધ્યાન રાખો કે એને માત્ર શુક્રવારના દિવસે જ કરવાનું છે.
જેમ કે આપણે દરેક લોકો જાણીએ છીએ કે ઘરમાં મની પ્લાન્ટ ખૂબ શુભ હોય છે. આ ઉપાય છોડને સંબંધી છે. મનીપ્લાન્ટની ઉપર એક લાલ દોરો બાંધવાનો છે. લાલ રંગ એટલા માટે કારણ કે એને ખૂબ શુભ માનવામાં આવે છે. આ રંગને યશનું પ્રતિક માનવામાં આવે છે.
જો તમે મની પ્લાન્ટ લાલ રિબીનથી બાંધો છો તો એનો સકારાત્મક પ્રભાવ જલ્દી તમને જોવા મળશે. જો કે આ દોરાને પણ બાંધવાના કેટલાક નિયમ છે.
એના માટે શુક્રવારે સવારે નહીં ધોઇને લક્ષ્મીજીની પ્રતિમાની સામે ઘી નો દીવો કરો. ત્યારબાદ જે રિબીનને તમે બાંધશો એને લક્ષ્મીજીના પગમાં રાખી દો.
હવે લક્ષ્મી માતાની પૂજા જે રીતે તમે કરો છો એવી રીતે કરો અને અંતમાં દોરા પર થોડું કંકું લગાવી દો.