પીએમ મોદી દર વર્ષે દિવાળીની ઉજવણી માટે દેશની વિવિધ સરહદોની મુલાકાત લે છે. છેલ્લા 8 વર્ષથી તેઓ સેનાના જવાનોની સાથે દિવાળીની ઉજવણી કરે છે.
સતત આઠ વર્ષથી સેનાના જવાનોની સાથે દિવાળીની ઉજવણી કરે છે PM મોદી
પીએમ મોદીના સાથે રહેવાથી જવાનોનો વધે છે જુસ્સો
દર વર્ષે જવાનોની સાથે દિવાળી ઉજવનારા પ્રથમ વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી
તમે દિવાળી પર તમારા વતનમાં જવા અને તમારા બાળકો સાથે તહેવારની ઉજવણી કરવા માટે ઉત્સુક હશો. આ તહેવાર એવો છે કે જેની ઉજવણી દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે કરવા માંગે છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે સેનાના જવાનોની સાથે જ દિવાળીની ઉજવણી કરે છે. આ વખતે પણ તેઓ દિવાળીના અવસર પર સૈનિકોની સાથે જ હશે. તેઓ આ વર્ષે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર આવેલા ભારતના છેલ્લા ગામમાં જવાનોની સાથે દિવાળીની ઉજવણી કરી શકે છે. જો કે, સુરક્ષાના કારણોસર હજુ સુધી સ્થળનો ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પીએમ મોદી દર વખતે સેનાના જવાનોની સાથે કેમ મનાવે છે દિવાળી? જો તમે નથી જાણતા તો ચાલો તમને જણાવીએ કે આની પાછળનું કારણ શું છે.
આપણી સુરક્ષા માટે દિવસ રાત ફરજ બજાવે છે જવાનો
જ્યારે આપણે આપણા ઘરે પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા હોય છીએ, ત્યારે આપણા દેશના જવાન ઉંચી-ઉંચી ટેકરીઓ અને દુર્ગમ વિસ્તારોમાં માઇનસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સરહદની રક્ષા કરી રહ્યા હોય છે. સરહદોની રક્ષા કરી રહેલા આ સૈનિકોને પણ ઈચ્છા થતી હોય છે કે તેઓ દિવાળીના દિવસે પોતાના બાળકો, પત્ની અને પરિવાર સાથે રહે. પરંતુ સેનાના દરેક જવાનનું દિવાળીના દિવસે પરિવાર સાથે રહેવાનું આ સપનું પૂરું થતું નથી. જરા વિચારો, જ્યારે તમારા બાળકો દિવાળીના દિવસે તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય અને તમે પહોંચી શકો તેમ ન હોય ત્યારે તેમની ખુશીઓ કેવી રીતે વરસી હશે, આ વિચારીને જ આંખોમાં પાણી આવી જશે. સેનાના જવાનોને તેમની ખુશીઓ મારવી પડે છે, પરિવારથી અલગ રહેવું પડે છે. બાળકોની ખુશીઓને પણ દબાવવી પડે છે, તેમના વહેતા આંસુને મજબૂરીમાં જોવા પડે છે. આ બધા માટે ફોલાદી કલેજુ જોઈએ, જે ફક્ત આપણા જવાનોની પાસે છે.
PM મોદી સેનાને માને છે પરિવાર
પીએમ મોદી કહે છે કે સેનાના જવાનોના કારણે આપણે આપણા ઘરે સુરક્ષિત રીતે દિવાળીની ઉજવણી કરી શકીએ છીએ. જો તેઓ બોર્ડર પર તૈનાત ન હોત તો કદાચ આપણે આપણા ઘરોમાં નિર્ભયતાથી દીવાને ન પ્રગટાવી શકેત અને આપણે આ રીતે તહેવાર પણ ન મનાવી શકેત. દિવાળી પર આપણને મળતી દરેક ખુશીની પાછળ ક્યાંક ને ક્યાંક જવાનોનું બલિદાન હોય છે. એટલા માટે પીએમ મોદી સેનાને પોતાનો પરિવાર માને છે અને દરેક વખતે તેઓ સૈનિકો સાથે દિવાળી મનાવવા તેમના કેમ્પમાં જાય છે. પીએમ મોદી 2014થી સતત સેના સાથે દિવાળીની ઉજવણી કરે છે.
દર વર્ષે અલગ-અલગ જગ્યાએ મનાવે છે દિવાળી
પીએમ મોદી દિવાળીની ઉજવણી માટે દેશની વિવિધ સરહદોની મુલાકાત લે છે. ક્યારેક તેઓ પાકિસ્તાનની સરહદ પર હોય છે તો ક્યારેક ચીનની સરહદે આવેલા વિસ્તારોમાં. જે વર્ષ 2014થી સતત ચાલુ છે.
- વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત 2014 તેમણે સિયાચીનમાં સેનાની સાથે દિવાળી મનાવી હતી, જ્યાં શિયાળામાં તાપમાન માઈનસ 40 ડિગ્રી થઈ જાય છે.
- આ પછી વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબ સાથેની પાકિસ્તાન સરહદ પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
- ત્યારબાદ 2016માં તેમણે હિમાચલ પ્રદેશમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
- વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં BSF અને આર્મીના જવાનો સાથે દિવાળી માનવી હતી.
- પીએમ મોદીએ વર્ષ 2018માં ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ITBP અને આર્મીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
- જે બાદ વર્ષ 2019માં PM મોદીએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં દિવાળીની ઉજવણી કરી.
- વર્ષ 2020માં તેઓ રાજસ્થાનના જેસલમેરમાં જવાનો સાથે દિવાળીના કાર્યક્રમમાં સામેલ થયા હતા.
- ત્યારબાદ 2021માં તેમણે જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી. આ રીતે પીએમ મોદી દર વર્ષે દિવાળી સેનાના જવાનો સાથે મનાવે છે.