દુનિયામાં ભાગ્યે જ એવુ કોઇ હશે જેને ફ્રુટ પસંદ નહી હોય. માત્ર સ્વાદ જ નહી પરંતુ હેલ્થ માટે પણ ફ્રુટ્સ ખાવા જોઇએ.
ફળ ખાવાનો યોગ્ય સમય કયો?
પૂજા મખીજાએ જણાવ્યો જવાબ
કોઇ પણ સમયે ફળ ન ખાવા જોઇએ
કેટલાક લોકો તો મીલમાં માત્ર ફ્રુટ જ લેતા હોય છે પરંતુ શું તમને ખબર છે ક્યા સમયે ફ્રુટ ખાવા જોઇએ અને તેને ખાવાની યોગ્ય રીત શું છે. ગમે ત્યારે ફ્રુટ ખાવાથી તેનો ફાયદો નથી થતો માટે ખાવાની પણ સ્માર્ટ ટેકનીક અપનાવો.
સાચો જવાબ થોડો મુશ્કેલ
જો કે ફળો ખાવાનો યોગ્ય સમય કયો છે તેનો સાચો જવાબ ક્યારેય મળી શકશે નહીં. તેની પાછળ એક સરળ કારણ એ છે કે દરેકના આહાર અને ખાવાની રીત જુદી હોય છે. કોઈ વ્યક્તિ સવારે વહેલા ફળો ખાઈ શકે છે અથવા ખાધા પછી લઈ શકે છે. આ તેની વ્યક્તિગત પસંદગી છે. તેથી તે કોઈની ખાવાની રીતથી સંપૂર્ણપણે અલગ હોઈ શકે છે જે ખોરાક સાથે ફળો ખાવાનું પસંદ કરે છે. પરંતુ જો તમારે વજન ઓછું કરવું હોય અથવા જો તમે ડાયાબિટીસના દર્દી હોવ તો તમારા ફળો ખાવાના સમયે ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
અયોગ્ય સમયે ન ખાઓ ફ્રુટ
સેલિબ્રીટી ન્યૂટ્રીશિયનિસ્ટ પૂજા મખીજાએ હાલમાં જ ફ્રુટ ખાવાની રીત પર પોતાના ઇન્સ્ટ્રાગ્રામ પર કેટલાક કારણો બતાવ્યા છે. તેના અનુસાર તમારે મિલ તરીકે અથવા જમ્યા બાદ ડેઝર્ટના રૂપમાં ફ્રુટ ન ખાવા જોઇએ. તેનુ કારણ છે કે ફળમાં વિટામિન્સ ભરપૂર હોય છે અને મેન મિલ્સના કાબ્સ, ફેટ અને પ્રોટીન પચવાની રાહમાં તે યોગ્ય રીતે મળી શકતા નથી. જમવાની સાથે એક કટોરી ફ્રુટ ખાઇ રહ્યાં છો તે કેલેરી વધારવા સિવાય કોઇ કામ નહી કરે અને તે પોષણ પણ નહી મળે જે તમે તે ફળ ખાધા બાદ એક્પેક્ટ કરો છઓ.
ફ્રુટ ખાવાનો યોગ્ય સમય
ન્યુટ્રિશનિસ્ટનું જો માનીએ તો, ફળ ખાવાનો યોગ્ય સમય એ એકલા નાસ્તા તરીકે છે. આ તમને ફાઇબર અને એન્ટીઓકિસડન્ટનો લાભ આપશે, જે તમારા મુખ્ય મિલ પહેલા ઉદભવતી ભૂખમાં રાહત આપશે. જેના કારણે તમારું મિલ વ્યવસ્થિત રહેશે અને વધારે પડતુ ખવાઇ ગયાની અનુભૂતિ નહી થાય. સવારે અથવા દિવસના પહેલા મીલ તરીકે ફળ લેવા એ તંદુરસ્ત છે અને દિવસની શરૂઆત કરવાની આ એક સારી રીત છે. તે પાચનમાં વધારો કરવામાં પણ મદદ કરે છે.