ભગવાન જગન્નાથ અષાઢી બીજના દિવસે નગર ચર્ચાએ નીકળ્યાં છે. ત્યારે આ વખતે તેમના માટે મોસાળામાં મૂલ્યવાન વસ્ત્રો અને આભૂષણો સાથે મોધેરુ મોસાળું અર્પણ કરાયું છે
ભગવાનને મોંઘેરુ મોસાળુ અર્પણ કરાયું
યજમાન પરિવાર 7 વર્ષથી જોઈ રહ્યો હતો રાહ
ઠાકોર પરિવારે ભગવાનને મોસાળ અર્પણ કર્યુ
ભગવાનને મોંઘેરુ મોસાળુ અર્પણ કરાયું
જગતના નાથ ભગવાન જગન્નાથ અષાઢી બીજના દિવસે નગર ચર્ચાએ નીકળ્યાં છે. ત્યારે આ વખતે તેમના માટે મોસાળામાં મોઘેરા વસ્ત્રો અને આભૂષણો લાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદનું સરસપુર ભગવાનનું મોસાળ ગણાય છે. રથયાત્રાના દિવસે ત્યાં ભગવાન વિશ્રામ કરે છે.ત્યારે ત્યાં ભગવાનની પૂજા અર્ચના કરી મોસાળું ચઢાવવામાં આવે છે. અને રથયાત્રામાં સામેલ તમામ લોકો માટે અહીં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.
યજમાન પરિવાર 7 વર્ષથી જોઈ રહ્યો હતો રાહ
ભગવાનનું મોસાળું વર્ષોવર્ષ રાહ જોવાતી હોય છે. ત્યારે આ વખતે 7 વર્ષ રાહ જોયા બાદ ઠાકોર સમાજની મનોકામના પૂર્ણ થઈ હતી. અને મામેરાના યજમાન તરીકે મહેશભાઈ ઠાકોરને મોસાળું કરવાનો લ્હાવો મળ્યો છે. આથી પરિવારના લોકો અતિશય હર્ષ લાગણી અનુભવી રહ્યાં છે તેમજ ભગવાનને મોસળું ધરાવતાં ભાવવિભોર થઈ ગયા હતાં.
50 વર્ષ આવ્યો પ્રતિક્ષાનો અંત, પરિવાર થયો ભાવુક
યજમાન મહેશભાઈ ઠાકોરે જણાવ્યું હતું , પાંચ દાયકાની લાંબી પ્રતિક્ષા બાદ આ વર્ષે અમારા પરિવાર મોસાળાની ધન્ય ઘડી પ્રાપ્ત થઈ છે. અને અમારા તરફ ભગવાનના વાઘા રજવાડી અને મહારાષ્ટ્રીયન સ્ટાઈલના વાઘા છે. જેમાં લીલા, કેસરી અને વાદળી રંગનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવ્યો છે. ભગવાન નગરયાત્રા દરમિયાન ખાસ પેશ્વાઓ પહેરે છે તેવી પાઘ પહેરશે. જે મામેરામાં મૂકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ વખતે ઠાકોર પરિવારે જગતનાથને ધરવામાં આવેલા મોસાળામાં સહેજ પણ કસર છોડી નથી અને સુભદ્રાજીની નાકની ચૂનીથી માંડીને ભાઈ જગનન્નાથ તથા બલરામજીના સંપૂર્ણ શણગારવામાં આવ્યાં છે.