ભારતભરમાં યાત્રાઘામ તરીકે મશહુર એવુ શ્રી આરાસુરી અંબાજી માતાનું મંદિર બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. પાલનપુરથી 63 કિલોમીટર દુર સ્થિત આ તીર્થ સ્થાનનો વિકાસ પ્રવાસીઓને શ્રધ્ધાળુઓને ત્યાં આવવા આકર્ષે છે.
અરવલ્લીની ગીરીમાળામાં આવેલા પવિત્ર યાત્રાધામ અંબાજી 240-20 ઉ અંક્ષાશ અને 720-51 રેખાંશ પર દરિયાઈ સપાટીથી 1600 ફુટની ઉંચાઈ પર આવેલું છે. અંબાજી ગામમાં યાત્રાળુઓને લગતા માલ સામાનના વ્યાપારની તથા માર્બલ ઉદ્યોગનો મોટાપાયે વિકાસ થયેલો છે.
બનાસકાંઠામાં આવેલા આ અંબાજી મદિરનું મહાત્મ્ય ઘણું છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ માતાના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. સ્વતંત્રતા પહેલા રાજવી શ્રીભવાનસિહજી પરમાર માતાજીના અનન્ય ઉપાસક હતા.
રાજવી શ્રીભવાનસિહજી ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરેલી હોઈ વિદ્યા પ્રિય રાજવી તરીકે નામ મેળવી હતી. ભવાનસિંહજી બાદ તેમના પુત્ર પૃથ્વીરાજસિંહજી ગાદી પર આવ્યા તેમના શાસન દરમ્યાન ભારતે સ્વંતત્રતા પ્રાપ્ત કરતા ગર્વનર જનરલ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ તરીકે V.P મેનન ભારત સરકારના સચિવ (મિનિસ્ટ્રી ઓફ સ્ટેટસ) અને દાંતાના રાજવી પૃથ્વીરાજસિંહજી વચ્ચે વિલિનીકરણ કરાર મુજબ દાંતાનું રાજ્ય ભારતના સંઘમા વિલિન થયું.
પૃથ્વીરાજસિંહજી તથા ભારત સરકારના તાત્કાલિક મિનીસ્ટર ઓફ સ્ટેટ્સ H ગોપાલ સ્વામી આયગર તથા ત્યારબાદ ડો.કે.એન.કાન્જે અને બાદમાં વી.વિશ્વનાથન વચ્ચે ઘણો પત્ર વ્યવહાર થયો. છેવટે પૃથ્વીરાજસિંહજી દ્વારા પત્ર થકી ભારતના રાષ્ટ્રપતિને આ બાબતે સુપ્રીમકોર્ટ ઓફ ઈન્ડિયાને રીફર કરવા વિનંતી કરી હતી. સુપ્રીમકોર્ટે પૃથ્વીરાજસિંહજીને અંબાજી માતા મંદિરનો કબજો પ્રાતં ઓફિસર પાલનપુરને સોંપી દેવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા અંબાજી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી.