આપણે સૌ મંદિરમાં દેવી-દેવતાઓને રીઝવવા ફળ-ફૂલ વગેરે ધરાવતા હોઈએ છીએ. આ ઉપરાંત આપણે માતાજીને પ્રાસાદ કે માનતા પ્રમાણે ભોગ ચડાવીએ છીએ પણ ભારતનું એક એવું મંદિર છે જ્યાં આ બધી વળતુની જગ્યાએ ચપ્પલની માળા પહેરાવવામાં આવે છે.
તમને સાંભળીને નવાઈ લાગશે...! પણ હા સાચે આ મંદિરની પરંપરા કંઈક આવી જ છે. આપણે અહીં મંદિરમાં જતા પહેલા ચપ્પલને બહાર કાઢી દઈએ છીએ પણ આ મંદિરની પરંપરા કંઈક આવી જ છે. ચાલો જાણીયે આ મંદિર ભારતમાં ક્યાં આવેલું છે અને આવું કેમ છે? શું છે આની પાછળનું રહસ્ય
કર્ણાટકના ગુલબર્ગના આલંદા તહસીલમાં ગોલા લકમ્મા દેવી મંદિરમાં શ્રદ્ધાળુ દેવી માંને ચપ્પલ ચઢાવે છે. એટલું જ નહીં આ મંદિરમાં ફૂટવેર ફેસ્ટિવલ પણ ઉજવવામાં આવે છે. જેમાં દેશ-વિદેશથી ભક્તો માંને ચપ્પલ અર્પિત કરે છે. આ ફેસ્ટિવલ દરમિયાન શાકાહારી-માંસાહારી ભોજનનો પણ ભોગ લગાવવામાં આવે છે.
મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓનું કહેવું છે કે ચપ્પલ ચઢાવવાથી ખરાબ આત્માથી રક્ષા મળે છે. તેમજ પગના ઘૂંટણના દર્દમાંથી રાહત મળે છે. મંદિરની સામે લીંબડાનું ઝાડ છે જ્યાં લોકો ચપ્પલ બાંધે છે અને મનોકામના પૂરી કરવા માટે પ્રાર્થના કરે છે. એક વાત ચોંકાવનારી છે આ મંદિરના પૂજારી હિન્દુ નહીં પણ મુસલમાન છે.
મંદિરની બહાર બનાવવામાં આવેલા બજારથી ચપ્પલોની મલાઈ ખરીદી શકાય છે. હિન્દુની સાથે સાથે આ પવિત્ર સ્થાને મુસલમાન લોકો પણ આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે માં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા ચપ્પલોને રાતે પહેરીને ફરવા જાય છે અને હંમેશા તેમની રક્ષા કરે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મંદિરમાં બિરાજમાન દેવી પહાડી પર ફરે છે. દૂત્તાર ગામના દેવતાની ખરાબ નજર તેમના પર પડી ગઈ તે તેમનો પીછો કરવા લાગ્યા. તેમના પોતાની રક્ષા કરવા માટે માં એ પોતાનું મસ્તક જમીન પર ઘસ્યું. ત્યારથી અત્યાર સુધી માંની પ્રતિમા એ જ રૂપમાં બિરાજમાન છે. માંના મુખની નહી પણ તેમની પીઠની પૂજા કરવામાં આવે છે.
ચપ્પલ ચઢાવતા પહેલા મંદિરમાં ભેંસની બલિ આપવામાં આવે છે. જ્યારે બલિ પ્રથા પર રોક લગાવવામાં આવી તો દેવીનો પ્રકોપ વધવા લાગ્યો. માં ને શાંત કરવા માટે ચપ્પલ ચઢાવાની પરંપરાની શરૂઆત થઈ.