ભારતમાં એક એવું મંદિર પણ છે. જ્યાં માતાજીને હાથકડી ચડાવવામાં આવે છે. દિવાક નામનું આ મંદિર રાજસ્થાનના પ્રતાપગઢ જીલ્લમાં આવેલું છે. જ્યાં દુર દુરથી લોકો માનતાઓ લઇને આવે છે.
આ મંદિરના પરિસરમાં લગભગ 200 વર્ષ જુનુ એક ત્રિશુલ છે જેના પર હાથકડી ચડાવવામાં આવે છે. માનવામાં આવે છે કે ત્રિશુલ પર જે હાથકડીઓ ચડાવવામાં આવી છે. જેમાંની અમુકતો 100 વર્ષથી પણ જુની છે. માન્યતાઓ મુજબ જે લોકોના સંબંધીઓ જેલમાં હોય તેમને છોડાવવા માટે લોકો અહીંયાં હાથકડી ચડાવે છે.
મંદિરના ઇતિહાસ વિશે જણાવીએ તો એવું માનવામાં આવે છે કે વર્ષો પહેલાં આ જગ્યા પર જંગલ હતું જ્યાં ડાકુઓ રહેતા હતા. જે ડાકુઓ માતાજીની પૂજા કરતા હતા. તે લોકો માતાજીના આશીવાર્દ લઇ લૂટ કરવા જતા અને સફળ થયા બાદ તેઓ અહીં હાથકડી ચડાવતા હતા. ત્યારથી અહીંયા માતાજીને હાથકડી ચડાવવામાં આવે છે.