સામાન્ય રીતે દરેક મંદિર પર મોટાભાગે લાડૂનો કે કોઇ પણ મિઠાઇનો પ્રસાદ મળતો હોય છે પણ તમે ક્યારેય સાંભળ્યું કે કોઇ મંદિરે બર્ગર અને સૈંડવિચનો પ્રસાદ મળે? આજે અમે તમને જણાવશું એક એવા મંદિર વિશે જ્યાં પ્રસાદમાં બર્ગર અને સૈંડવિચ આપવામાં આવે છે.
ચૈન્નઇના પડપ્પઇમાં આવેલા જય દુર્ગા પીઠ્મ મંદિરમાં પ્રસાદ સ્વરૂપે લોકોને બ્રાઉનીજ સૈંડવિચ અને ચૈરી-ટમાટર આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ મંદિરનો આ પ્રસાદ FSSAIથી પ્રમાણિત છે અને તેના પર એક્સપાયરી ડેટ પણ લખવામાં આવે છે.
અહીં ફક્ત મેનુઓ જ નહીં મંદિરને પણ આધુનિક કરવામાં આવ્યું છે. મંદિરમાં લોકો વેંડિગ મશીનમાં ટોકન્સ મૂકે છે ત્યારબાદ તેમને પ્રાસદનું એક બોક્સ મળે છે.