ભારતમાં આજે પણ એવી કેટલીક રહસ્મય વસ્તુઓ છે જેના પર વિજ્ઞાનીકો સંશોધન કરી રહ્યા છે કેરળમાં સ્થિત પદ્મનાભ મંદિર વિશે તો તમે સાંભળ્યું જ હશે. માનવામાં આવે છે કે ભારતનું આ સૌથી અમિર મંદિર છે. આ મંદિરના છ માંથી પાંચ ઓરડા ખુલ્યા ત્યારે બધાના હોશ ઉડી ગયા હતા કારણ કે આ પાંચ ઓરડામાંથી કિંમતી પથ્થર સોના અને ચાંદીના ભંડાર નીકળ્યા હતા.
લાખો કરોડો રૂપિયાનો ખજાનો ત્યાં મળી આવ્યો હતો જ્યારે છઠ્ઠા ઓરડામાં એટલો ખજાનો છે કે જેની કલ્પના પણ ન થઇ શકે પરંતુ આ દરવાજાને ખોલવાની કોઈનામાં હિંમત નથી કે કોઈ ખોલવા પણ માગતું નથી જાણો શું છે આ છઠ્ઠા દરવાજાનું રહસ્ય.
સદીઓથી બંધ આ મંદિરના પાંચ દરવાજા જ્યારે ખોલવામાં આવ્યા ત્યારે હીરા-ઝવેરાત ઉપરાંત પ્રાચીન મૂર્તિઓ પણ મળી આવી હતી. બધા જાણે છે કે આ દરવાજામાં બહું જ ધન છે છતાં આ દરવાજાને ખોલવાની વાત તો દૂર પણ કોઈ તેની જોડે જતા પણ ડરે છે.
આ ઓરડા ત્રણ દરવાજા છે પહેલો દરવાજો આયર્નની છડીઓથી બનેલો છે બીજો દરવાજો લાકડાનો બનેલો છે જયારે ત્રીજો દરવાજો લોખંડનો બનેલો છે. પરંતુ તેને ખોલી શકાય તેમ નથી. હકીકતમાં આ છઠ્ઠા દરવાજામાં ક્યાંય બોલ્ટ કે કુંડી કે તાળું લગાવેલું નથી પરંતુ આ દરવાજા પર બે નાગની પ્રતિબિંબ છે. જે આ દરવાજાની રક્ષા કરે છે.
માનવામાં આવે છે કે આ દરવાજાને કોઈ તપસ્વી 'ગરુડ મંત્ર' બોલીને ખોલી શકશે અને જો તે મંત્રોનું ઉચ્ચારણ બરાબર ન થયું તો જીવ પણ જઈ શકે છે. આ પહેલા પણ કેટલાક લોકોએ આ દરવાજો ખોલવાની કોશિશ કરી છે પણ બધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ઈ.સ 1930ના છાપામાં છપાયેલ એક લેખ ખુબ જ બિહામણો હતો. લેખક ગિલક્રિસ્ટ હૈંચ અનુસાર 1908માં કેટલાક લોકોએ આ મંદિરના છઠ્ઠા ઓરડાનો દરવાજો ખોલ્યો હતો તો તેમને જીવ બનાવીને ભાગવું પડ્યું હતું. કારણ કે ઓરડામાં કેટલાય શીંગડા વાળો કિંગ કોબરા બેઠો હતો અને તેની આજુ-બાજુ નાગોનું ટોળું પણ હતું. જ્યારે બધા માંડ જીવ બચાવી ભાગ્ય હતા.