કોરોના વાયરસ મહામારી વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. વૈજ્ઞાનિકોએ એક એવી થેરાપી વિકસીત કરી છે જેનાથી 99.9 ટકા કોવિડ પાર્ટીકલ મરી જાય છે.
કોરોના સામેની જંગમાં નવુ હથિયાર
આ ટેકનિકથી નષ્ટ થશે કોરોના વાયરસ
ઓસ્ટ્રેલિયામાં ટેકનિક આવી સામે
વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ખોજ કરોના વિરુદ્ધની લડાઇમાં કારગર સાબિત થશે. ઓસ્ટ્રેલિયાના મેન્ઝીન હેલ્થ ઇન્સ્ટીટ્યુટ ક્વિંસલેન્ડના આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની ટીમે આ થેરાપીને વિકસીત કરી છે. આ એક મિસાઇલની જેમ કામ કરે છે જે પહેલા પોતાના ટાર્ગેટને ડિટેક્ટ કરે છે અને બાદમાં તેને નષ્ટ કરી દે છે.
ઓછો થશે ડેથ રેટ
ડેઇલી મેલની રિપોર્ટ અનુસાર આ નેક્સ્ટ જનરેશન ટેકનોલોજી છે. જે એક હીટ સીકિંગ મિસાઇલની જેમ કામ કરશે. આ પહેલા કોવિડ પાર્ટીકલ્સની ઓળખાણ કરશે અને બાદમાં તેના પર હુમલો કરશે. શોધમાં સામેલ પ્રોફેસર નિગેલ મેકમિલને કહ્યું કે આ અભૂતપૂર્વ ટ્રીટમેન્ટ વાયરસને પ્રાકૃતિક બનવાથી રોકે છે અને તેની મદદથી કોરોનામાં થતી મોતને રોકી શકાય છે.
Gene-Silencing ટેકનિક પર આધારિત
પ્રોફેસર મેકમિલને કહ્યું કે આ મિસાઇલ જેવી ટેકનોલોજી છે. આ થેરાપીની મદદથી કોઇ પણ વ્યક્તિના ફેફસામાં રહેલા વાયરસને ડિટેક્ટ કરીને તેને નષ્ટ કરી શકાય છે. આ થેરાપી Gene-Silencing ચિકિત્સા પર આધારિત છે. જેને પહેલી વાર 1990ના દશક દરમિયાન ઓસ્ટ્રેલિયામાં શોધવામાં આવી હતી. શ્વસન રોગ પર હુમલો કરીને તે વ્યક્તિના શરીરમાંથી વાયરસને મારી દે છે.
આ રીતે કરે છે કામ
નિગેલ મેકમિલને કહ્યું કે દવાને નેનોપાર્ટીકલ નામની કોઇ વસ્તુમાં ઇન્જેક્શનના માધ્યમથી રક્તપ્રવાહમાં પહોંચાડવામાં આવે છે. આ નેનોપાર્ટીકલ ફેફસામાં જાય છે અનેઆરએનએ ડીલિવર કરનારી કોશીકાઓમાં મળી જાય છે. આરએનએ વાયરસની શોધ કરે છે અને તેને જીનોમ નષ્ટ કરી નાંખે છે. તે કારણથી વાયરસ વધારે ફેલાતો નથી. તેમણે જણાવ્યું કે ગયા વર્ષથી વૈજ્ઞાનિકો આ ટેકનિક પર કામ કરે છે.