જ્યોતિષશાસ્ત્રમાં આત્મરત્ન નામના પત્થરને ચમત્કારી માનવામાં આવ્યો છે. જાણો આ પત્થર વિષે વિગતવાર
ચમત્કારી માનવામાં આવે છે આ પત્થરને
બધી જ મનોકામનાઓ કરે છે પૂરી
આર્થિક તંગીથી અપાવે છે છૂટકારો
ચમત્કારી માનવામાં આવે છે આ પત્થરને
ઘણી વાર કોઈ કુંડળી દોષ કે પછી કોઈ વાસ્તુ દોષ અથવા કોઈ માનતા પૂરી કરવા માટે આપણે ઘણા રત્નો કે અન્ય વસ્તુઓનો સહારો લઈએ છીએ. ક્યારેક તેનાંથી લાભ થાય છે તો ક્યારેક લાભ મળતો નથી. પરંતુ આજે આપણે જે પત્થર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ, તેને વિદેશમાં પણ ચમત્કારી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ પત્થરનાં સાથે હોવાથી કોઈ દિવ્ય આત્મા હંમેશા તમારી રક્ષા કરે છે.
ઘણી વાર ખરાબ ગૃહદશાને કારણે આપણે નિવારણ માટે ઘણી બધી વસ્તુઓનો સહારો લઈએ છીએ જેમકે મોટી, પત્થર કે કોઈ પ્રકારના રત્ન પણ હોય શકે છે. આ વસ્તુઓ ધારણ કરવાથી ગૃહદશા સુધારી જાય છે અને સાથે સાથે અન્ય લાભ પણ મળે છે. આમાંથી એક છે આત્મરત્ન પત્થર. આ પત્થરનું વર્ણન પૌરાણિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. જ્યોતીષાચાર્ય અનુસાર, જેમને પણ આ પત્થર મળે છે , તેની કિસ્મત ચમકી જાય છે અમે મા લક્ષ્મીની કૃપા તેના પર બની રહે છે. આવો જાણીએ આ રત્ન વિષે.
દેખાવમાં કેવો હોય છે આ પત્થર?
માનવામાં આવે છે કે આ પત્થર સમુદ્ર કિનારા પર મળે છે. આ દેખાવમાં રંગબેરંગી હોય છે. સુંદર દેખાતા આ પત્થરને આત્મરત્ન પત્થર કહેવાય છે. આ પત્થર સમુદ્રમાં તરે છે, જે ત્યાના ખલાસીઓ માટે ખૂબ જ કામ આવે છે. આ ગોળ અને ચીકણા પત્થરની માળા બનાવવામાં આવે છે. સાથે જ ઘરમાં સજાવટ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
બધી જ મનોકામનાઓ કરે છે પૂરી
પૌરાણિક ગ્રંથો અનુસાર, આ પત્થર ચમત્કારિક રૂપથી લાભ અપાવે છે. કાળા - ભૂરા રંગનો આ પત્થર દેખાવમાં શાલીગ્રામ જેવો લાગે છે. ધાર્મિક માન્યતા છે કે આ પત્થર ઘરમાં રાખવાથી બધી જ મનોકામનાઓ પૂરી થાય છે. સાથે જ જીવનની આર્થિક તકલીફોથી પણ મુક્તિ મળે છે. એટલું જ નહિ, આ પત્થર શારીરિક તકલીફોથી પણ મુક્તિ અપાવે છે. વિદેશોમાં પણ આ પત્થરને ચમત્કારી માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથોમાં પણ આત્મરત્ન પત્થરનો ઉલ્લેખ જોવા મળે છે. આ પત્થર ચમત્કારિક લાભ અપાવે છે. આ રત્નને સોના કે ચાંદીની વીંટીમાં પરોવીને પહેરવાથી કોઈ દિવ્ય આત્મા હંમેશા તમારી રક્ષા કરે છે. આ રત્નની સૌથી મોટી ખાસિયત એ છે કે ધ્યાનથી જોવાથી તે હલતો - ડોલતો જોવા મળે છે. આ પત્થરનો આકાર અંડાકાર હોય છે.