સામાજિક મિલન છે કે પછી રાજકીય રણનિતીનો એક ભાગ તેવા સવાલ ઉઠી રહ્યા છે. છેલ્લા 5 મહિનામાં બીજી વખત પાટીદારો અગ્રણીઓ એક મંચ પર આવ્યા છે, જેને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે
નરેશ પટેલના નિવેદન બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી
કોંગ્રેસ સમાજના તમામ વર્ગને સાથે રાખીને ચાલે છે : કોંગ્રેસ
ચૂંટણી સમયે ભાજપ સમાજ-સમાજ વચ્ચે વેર ઉભા કરે છે : કોંગ્રેસ
ખોડલધામમાં લેઉવા-કડવા પાટીદાર સમાજની બેઠકને લઈને ખોડલધમના ચેમમેન નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે આગામી ચૂંટણીમાં આપને ફાયદો થશે નરેશ પટેલના નિવેદન અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપી હતી અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે કોંગ્રેસ સમાજના તમામ વર્ગને સાથે રાખીને ચાલે છે.
ચૂંટણી સમયે ભાજપ સમાજ-સમાજ વચ્ચે વેર ઉભા કરે છે
નરેશભાઈને પોતાના સમાજની લાગણી હોય એ સ્વાભાવિક છે. તમામ સમાજનો વિકાસ થાય અને તમામને સાથે રાખી ચાલવાની કોંગ્રેસની નીતિ છે. કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ચૂંટણી સમયે ભાજપ સમાજ-સમાજ વચ્ચે વેર ઉભા કરે છે.
ભીમજી નાકરાણીએ નિવેદન બાદ રાજકારણ ગરમાયું
આ તરફ પાટીદાર અગ્રણી ભીમજી નાકરાણીએ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે ભીમજીએ કહ્યું કે નવા મુખ્યમંત્રી તો પાટીદાર જ હશે. હવે પાટીદારો પાસે કેશુબાપા જેવા મજબૂત નેતા નથી તો ત્રીજા પક્ષને લઇને પણ ભીમજી નાકરાણીએ ચિંતા વ્યક્ત કરી છે મહત્વનું છે ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક મળી હતી જેમાં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ - અમદાવાદ, ઊંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ - સુરત સહિતની રાજ્યની કડવા પાટીદાર સમાજની 7 સંસ્થાઓના ટ્રસ્ટીઓ હાજરી આપી હતી. નરેશ પટેલે ઉંઝામાં પાટીદાર અગ્રણીઓને ખોડલધામ આવવા આમંત્રણ આપ્યું હતું. નરેશ પટેલે કહ્યં કે પાટીદાર સમાજ ઘણો મોટો સમાજ છે દરેક પક્ષમાં પાટીદાર સમાજના લોકો છે ત્યારે હવે પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેમ મળે તેની ચર્ચા થશે.
રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ : નરેશ પટેલ
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આમ આદમી પાર્ટી જે રીતે કામ કરે છે, તેને જોઈને ગુજરાતમાં તેને સ્થાન મળી શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજનો મુખ્યમંત્રી હોય.
લેઉઆ કડવા પાટીદાર સમાજનું એકમંચ પર
વર્ષ-2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલા લેઉઆ કડવા પાટીદાર સમાજનું એકમંચ પર આવવું અનેક સવાલ ઉભા કરી રહ્યું છે. સામાજિક મિલન છે કે પછી રાજકીય રણનિતીનો એક ભાગ તેવા સવાલ ઉઠી રહ્યા છે. છેલ્લા પ5 મહિનામાં બીજી વખત પાટીદારો અગ્રણીઓ એક મંચ પર આવ્યા છે, જેને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે