ભારતીય ઘરોમાં મસાલાના રૂપમાં ઉપયોગમાં લેવાતી હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. હળદર ખાવાનો સ્વાદ વધારવાની સાથે સદીઓથી ગણા સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓની સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક સ્ટડીમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે હળદરના સેવનથી શરીર અને મગજ બંનેને ફાયદો પહોંચે છે. હળદર સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે.
આ છે હળદરના ફાયદા
જો તમે પેટની પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો હળદરના સેવનથી ફાયદો થશે. આયુર્વેદમાં સદીઓથી હળદરનો ઉપયોગ પાચનક્રિયાને સારી કરવા માટે કરવામાં આવે છે. હળદરમાં એન્ટી ઑક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટ્રી ગુણ મળી આવે છે, જે પાચનક્રિયાને સારી કરવામાં મદદ કરે છે.
વધતી ઉંમરની સાથે ચહેરા પર આવેલી કરચલીઓને દૂર કરવામાં હળદર ખૂબ કારગર છે. હળદરમાં એન્ટી ઑક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટ્રી ગુણ મળી આવે છે. જે મોઢા પરની કરચલીઓને દૂર કરવામાં મદદ કરે છે. દરરોજ હળદરનું સેવન કરવાથી સ્કીન પર ગ્લો આવે છે.
હળદરમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને એન્ટી ફંગલ ગુણોની સાથે Lipopolysaccharide કમ્પાઉન્ડ પણ મળી આવે છે. હળદરના સેવનથી ઇમ્યૂનિટી પાવર મજબૂત થાય છે અને તમે ઘણા પ્રકારના ઇન્ફેક્શનથી સુરક્ષિત રહો છો. દરરોજ એક ગ્લાસ ગરમ દૂધની સાછે એક ચમચી હળદરનું સેવન કરવાથી ખાંસી, શરદી અને ફ્લૂ જેવી સમસ્યાઓથી રાહત મળી શકે છે.
હળદરમાં મોજૂદ Aromatic Turmerone કમ્પાઉન્ડ મગજ માટે ખૂબ ફાયદાકારક હોય છે. એનાથી મગજની સ્ટેમ કોશિકાઓ રિપેર થાય છે. આ ઉપરાંત હળદરમાં રહેલા વર્ક્યૂમિન પણ દિમાગમાં મળી આવતા પ્રોટીનને બૂસ્ટ કરે છે.
આજકાલ મોટાભાગના લોકો પોતાના વધતા વજનથી પરેશાન છે. પરંતુ હળદરના સેવનથી તમે વજનને કંટ્રોલમાં રાખી શકો છો. હળદર શરીરમાં ફેટ ટીશ્યૂઝને બનતી રોકે છે, જેનાથી વજન કંટ્રોલમાં રહે છે.