ધરતી પર આવતા અઠવાડીયે અદભૂત ખગોળીય ઘટના થવા જઇ રહી છે. 1 હજાર વર્ષ બાદ સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ યોજાવા જઇ રહ્યું છે.
18 ફેબ્રુઆરીએ યોજાશે દુર્લભ સંયોગ
1000 વર્ષ બાદ યોજાશે આવું ચંદ્રગ્રહણ
કેમ થાય છે ચંદ્રગ્રહણ ?
18 ફેબ્રુઆરી 1440ના રોજ પૃથ્વી પર આવું ચંદ્રગ્રહણ યોજાયું હતું. હવે આ પ્રકારનું ચંદ્રગ્રહણ જોવા માટે 2669ની રાહ જોવી પડશે. આવતા અઠવાડીયે 18 અને 19 તારીખે સમગ્ર દુનિયામાં આ ચંદ્રગ્રહણ દેખાશે.
ક્યારે થાય છે ચંદ્રગ્રહણ
અમેરિકી સ્પેસ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર, જ્યારે પૃથ્વીનો થોડો પડછાયો ચંદ્ર પર પડવા લાગે છે ત્યારે આંશિક ચંદ્રગ્રહણ થાય છે. તેમણે કહ્યું કે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર થોડા કલાકો સુધી રહેશે. જો હવામાન સાનુકૂળ રહેશે, તો જ્યાંથી ચંદ્ર બહાર આવશે, ત્યાં તમને આ અદ્ભુત ખગોળીય નજારો જોવા મળશે. Earthsky.org કહે છે કે આ ચંદ્રગ્રહણ લગભગ 21693 સેકન્ડ ચાલશે, જે લગભગ 6 કલાક અને બે મિનિટ છે. વેબસાઈટે કહ્યું કે વર્ષ 1440 અને 2669 વચ્ચેનું આ સૌથી લાંબુ આંશિક સૂર્યગ્રહણ હશે.
દિલ્હી, ઉત્તરપૂર્વ ભારતમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે
તે થોડા સમય માટે દિલ્હીમાં પણ જોવા મળશે. ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે ભારતમાં આંશિક ચંદ્રગ્રહણ દિવસના 12:48 થી શરૂ થઈને 19 નવેમ્બરના રોજ સાંજે 4.17 વાગ્યા સુધી રહેશે. આ વર્ષે ભારતમાં આ છેલ્લું ચંદ્રગ્રહણ હશે. આગામી ચંદ્રગ્રહણ ભારતમાં 8 નવેમ્બર, 2022ના રોજ જોવા મળશે. આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ હશે.
આ દેશોમાં દેખાશે ચંદ્રગ્રહણ
ભારત ઉપરાંત આ ચંદ્રગ્રહણ આફ્રિકા, પશ્ચિમ યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરમાં જોઈ શકાશે. આંશિક ચંદ્રગ્રહણમાં પૃથ્વીનો પડછાયો ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકતો નથી. આ ચંદ્રની સપાટી પરથી નાટ્યાત્મક પ્રકાશનું ઉત્સર્જન કરે છે. તે પૃથ્વી પરથી જોઈ શકાય છે. આંશિક ચંદ્રગ્રહણ દરમિયાન, ચંદ્રનો રંગ આછો લાલ થઈ જાય છે.