હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખાસ મહત્વ રહેલું છે. વાસ્તુ શાસ્ત્રમાં ભવન નિર્માણથી લઇને કેટલીય જાણકારીઓ આપવામાં આવી છે. ત્યારે અમે આપને આજે જણાવીશું કેવો હોવો જોઇએ પતિ-પત્નીનો બેડરૂમ. પતિ-પત્નીનો પ્રેમ ક્યારેક અચાનક ઝડઘાનું સ્વરૂપ ધારણ કરી છે તો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે માનીએ તો બેડરૂમમાં ક્યારેય વોશ બેઝિન ના હોવું જોઇએ.
નહીંતર પતિ-પત્ની વચ્ચે તણાવ વધવા લાગે છે અને વાત-વાતમાં ઝઘડા પણ થવા લાગે છે. તેના કારણે દાંપત્ય જીવનની મધુરતા પણ ઘટવા લાગે છે. જેની થોડી અસર પરિવારજનો પર પણ પડે છે.
વાસ્તુ શાસ્ત્રમાં કહેવાયું છે કે પતિ-પત્ની એક બાબતનું ખાસ ધ્યાન રાખે કે તેમના બેડરૂમમાં ઓછાંમાં ઓછા લોકો પ્રવેશે. કહેવાય છે કે બેડરૂમમાં અન્ય લોકોના પ્રવેશ કરવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
જેના કારણે પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં ઉણપ દેખાય છે. આ માટે પતિ-પત્નીઓ પોતાના બેડરૂમમાં અન્ય વ્યક્તિઓને પ્રવેશ ના આપવો જોઇએ. આ સાથે જ બેડરૂમમાં અરીસો લગાવી શકાય છે પરંતુ અરીસો એ રીતે લગાવવો જોઇએ કે પથારી માંથી ઉભા થતાં તે તરત ના દેખાય. જેની નકારાત્મક અસર પડે છે.