RTOની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા. બસ નોન AC હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં સવાલ એ છે કે, જો લકઝરી બસ નોન AC હતી તો આગની લપેટમાં આવી કેવી રીતે ? બ્લાસ્ટ કેવી રીતે ?
સુરતમાં લકઝરી બસ સળગવાનો મામલો
RTOની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
ટ્રાવેલ્સની બસ નોન-AC હતી. તો બ્લાસ્ટ કેવી રીતે ?
સુરતમા મંગળવારે મોડી સાંજે હચમચાવી દેનારી ઘટના સામે આવી હતી, જેમાં વરાછા હીરાબાગ નજીક એક ખાનગી બસમાં આગ લાગતા એક મહિલા ભડથુ થઈ ગઈ હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.
વિગતવાર જોઈએ તો ઘટના બની તે સમયે પ્રાપ્ત થયેલી પ્રાથમિક માહિતી અનુસાર આ બસ સુરતથી ભાવનગર જઈ રહી હતી અને દરમિયાન બસમાં ACનું કોમ્પ્રેશર ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું હતું, ત્યાર બાદ આ બસમાં આગ લાગી ગઈ હતી.
પરંતુ હવે RTOની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે, જે મુજબ બસ નોન AC હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે એ સવાલો ઉઠી રહ્યા છે કે, જો લકઝરી બસ નોન AC હતી તો આગની લપેટમાં આવી કઈ રીતે? અને બસમાં બ્લાસ્ટ થયો તો કેવી રીતે થયો?
શુ આ ખાનગી લકઝરી બસમાં શોર્ટ સર્કિટ થયું હતું? શું બસમાં અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ લઈ જવામાં આવી રહ્યા હતા? જેવા અનેક સવાલો ઊભા થયા છે. જો કે, હાલ FSLના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જે બાદ જ વધુ વિગતો બહાર આવશે તેવી આશા છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરતમાં આગનો એક ગંભીર બનાવ બન્યો હતો, જેમાં સુરતના તક્ષશિલા કૉમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટ થતા એક ટ્યૂશન ક્લાસિસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને તેમાં 18થી 20 જેટલા વિધાર્થીઓના મૃત્યુ થયાં હતા.