પિતૃ પક્ષ વખતે ઘણા લોકોને પૂર્વજો આસપાસ હોવાનો આભાસ થાય છે.
મૃત્યુ પામેલા પરિજનો સપનામાં આવે છે?
જાણો કેમ સપનામાં આવે છે મૃત્યુ પામેલા લોકો?
દાન-પૂણ્યથી ખુશ થાય છે પૂર્વજ
ભાદરવા મહિનાની પૂનમથી પિતૃ પક્ષ (Pitru Paksha 2021) શરૂ થઈ ચુક્યા છે. પિતૃ પક્ષના આ 15 દિવસ ખૂબ જ મહત્વના હોય છે. હિન્દૂ ધર્મમાં એવી માન્યતાઓ પણ છે કે શ્રદ્ધ પક્ષમાં આપણા પૂર્વજ ધરતી પર આપણને આશીર્વાદ આપવામાં માટે આવે છે. ઘણા લોકોને પોતાના પૂર્વજો આસ પાસ હોવાનો અનુભવ પણ થાય છે. જ્યારે અમુક લોકોને સપનામાં પિતૃઓ દેખાય છે. આ વખતે પિતૃપક્ષ 20 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી રહવાનું છે. આવો તમને જણાવીએ કે જો સપનામાં પૂર્વજ જોવા મળે તો તેનો શું મતલબ હોય છે.
પૂર્વજોનો આશીર્વાદ જરૂરી
જ્ઞાની પંડિતોનું માનવું છે કે શ્રાદ્ધ પક્ષમાં દાન-પુણ્યથી પ્રસન્ન થઈને આપણા પૂર્વજ સપનામાં આશીર્વાદ આપવા માટે આવે છે. તેમનું આવવું એ વાત તરફ ઈશારો કરે છે કે તેમને તમારા શ્રાદ્ધને સ્વીકાર કર્યું છે. સપનામાં પૂર્વજ ભોજનનો સ્વીકાર કર્યા બાદ તમેન સમ્પન્નતા અને સફળતાનો આશીર્વાદ આપે છે.
દાન-પૂણ્યથી ખુશ થાય છે પૂર્વજ
ઘણા લોકોના સપનામાં આવીને પૂર્વજ ઘણી વસ્તુઓની માંગ કરે છે. તેનો મતલબ એ છે કે તે ભૂખ્યા છે અને તમને કોઈ સંકેત આપી રહ્યા છે. પંડિતોના જણાવ્યા અનુસાર પૂર્વજો દ્વારા માંગવામાં આવતી વસ્તુઓનું સંપૂર્ણ શ્રદ્ધા સાથે દાન કરવું જોઈએ.