શું છે આ પોસ્ટ ઓફિસની યોજના અને કેટલું વળતર મળે છે એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં પૈસા ગુમાવવાનો ડર રહેતો નથી
પોસ્ટ ઓફિસ વાર્ષિક 5.5% ના દરે વ્યાજ આપે છે
3 વર્ષમાં 1 લાખ 51 હજાર રૂપિયાનું વ્યાજ મળે
રોકાણ કરવું દરેકને પસંદ હોય છે પણ રોકાણ કરવા સાથે આવતા રિસ્કથી લોકો ડરે છે, આજે પણ એવા ઘણા લોકો છે જેઓ તેમના રોકાણને પૂરું સુરક્ષિત રાખવા માંગે છે. તો આવા લોકો માટે પોસ્ટ ઓફિસની આ યોજના બેસ્ટ છે. પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝીટ સ્કીમમાં પૈસા ગુમાવવાનો ડર રહેતો નથી. જો તમે ટૂંકા સમયના રોકાણથી નફો મેળવવા માંગો છો આ યોજનામાં પૈસાનું રોકાણ કરી શકો છો. શું છે આ યોજના અને કેટલું વળતર મળે છે એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
આટલા ટકા મળે છે વળતર
આ યોજનાનો લાભ મેળવવા માટે પોસ્ટ ઓફિસમાં ટાઈમ ડિપોઝીટ ખાતું ખોલાવવું પડે છે અને વિચારો કે 8 લાખ 50 હજાર રૂપિયા એકસાથે રોકાણ કરો છો તો આ યોજના હેઠળ પોસ્ટ ઓફિસ વાર્ષિક 5.5% ના દરે વ્યાજ આપે છે એટલે કે માત્ર 3 વર્ષ પછી મેચ્યોરિટી પર 10 લાખ રૂપિયાથી વધુનું વળતર મળી રહે છે. ગણતરી કરી તો 3 વર્ષમાં 1 લાખ 51 હજાર રૂપિયાનું વ્યાજ મળે છે.
આ રીતે કરો પ્રોસેસ
પોસ્ટ ઓફિસની આ યોજનાનો લાભ લેવા માટે નજીકની પોસ્ટ ઓફિસમાં ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ અથવા ફિક્સ્ડ ડિપોઝિટ ખાતું ખોલાવો. આ યોજનામાં 1,000 રૂપિયાથી રોકાણ કરી શકો છો અને તેમાં કોઈ મહત્તમ રોકાણની રકમ ફિક્સ નથી. ખાસ જણાવી દઈએ કે આ સ્કીમમાં માત્ર 10 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ જ રોકાણ કરી શકે છે સાથે જ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે નાણાંનું રોકાણ કરી શકાય છે.
પ્રીમેચ્યોર વિડ્રોલ ફેસીલીટી
પોસ્ટ ઓફિસની આ યોજનાનો ફાયદો એ પણ છે કે જો તમને અચાનક પૈસાની જરૂર પડે તો ઉપાડી શકાય છે પણ પોસ્ટ ઓફિસે આ માટે નિયમો બનાવ્યા છે. જણાવી દઈએ કે રોકાણના 6 મહિનાની અંદર તમને ઉપાડની છૂટ ણથી હોતી એ જ સમયે 6 થી 12 મહિનાની વચ્ચે ઉપાડ પર બચત ખાતા જેટલું વ્યાજ મળશે અને 2, 3 કે 5 વર્ષ પહેલા ખાતામાંથી પૈસા ઉપાડો છો, તો તમારા કુલ વ્યાજમાંથી 2% રકમ કાપવામાં આવે છે.