મંત્રોમાં ઘણી શક્તિ છે. એ જ રીતે તંત્ર શાસ્ત્રનું પણ પોતાનું અલગ સ્થાન છે. આજે આપણે લાલ કિતાબમાં જણાવેલા કેટલીક એવા ઉપાય જાણીશું જે ખૂબ જ અસરકારક છે અને ઝડપી અસર દર્શાવે છે.
તંત્ર શાસ્ત્રનું છે ખાસ મહત્વ
24 કલાકમાં અસર બતાવે છે આ ઉપાય
મોટી મોટી સમસ્યા પણ ચપટી વગાડતા થઈ જશે દૂર
જો કોઈની નજર કોઈના પર લાગે વગર કારણે વ્યક્તિ નિરાશા, થાક અનુભવે, જો વારંવાર આર્થિક નુકસાન થતું હોય, ઘરનો કોઈ એક સભ્ય હંમેશા બીમાર રહેતો હોય તો તેની પાછળ નકારાત્મક શક્તિઓ અથવા કોઈની ખરાબ નજર કારણ હોઈ શકે છે. આવો જાણીએ આવી બધી સમસ્યાઓથી છુટકારો મેળવવાના ચોક્કસ ઉપાયો.
ઢગલાબંધ સમસ્યાઓથી છુટકારો અપાવશે આ ઉપાય
જો કામોમાં વારંવાર અડચણ આવતી હોય તો આર્થિક તંગી થાય તો બુધવારના દિવસે ધાન્યનું દાન કરો.
કરિયરમાં સફળતા ન મળતી હોય તો અથવા વારંવાર અડચણ આવી રહી હોય તો નવ મુખી રૂદ્રાક્ષ ધારણ કરો.
આર્થિક તંગી દૂર કરવા માટે પોતાના પર્સના ખિસ્સામાં હંમેશા ચાંદીનો નાનો ચોરસ ટૂકડો મુકો. ઈચ્છો તો તેને ઘર કે વ્યવસાયિક પ્રતિષ્ઠાનના ધન સ્થાન પર રાખો. તેનાથી ધન લાભ થશે.
દરરોજ કૂતરાને રોટલી ખવડાવો. જો કાળા કૂતરાને રોટલી ખવડાવો તો વધારે યોગ્ય રહેશે.
રોજ પહેલી રોટલી ગાયને ખવડાવો. તેનાથી દેવી-દેવતાઓની કૃપાથી જીવનમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે છે.
પીપળા, વડ, લિમડા અને કેળાની જડમાં રોજ જળ ચઢાવો.
અમાસ, પૂર્ણિમા અથવા જ્યારે પણ મોકો મળે કોઈ સફાઈકર્મીને દાન આપતા રહો.
કિડિને લોટ, ખાંડ, પક્ષીઓને દાણા નાખો. તેનાથી જીવનની તમામ મુશ્કેલીઓ જૂર થઈ જશે.
જો સ્ટ્રેસ હોય તો તાંબાના લોટામાં જળ ભરીને તેના સહારે મુકીને સુવો. બીજા દિવસે સવારે તેને બહાર ફેંકી જો. સ્ટ્રેસથી રાહત મળશે.
સ્ટ્રેસ અને નકારાત્મકતાથી બચવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી વખત નહાવાના પાણીમાં એક ચમચી સમુદ્રી મીઠુ નાખીને સ્નાન કરો.
સફેદ, કાળો કે બે રંગનો ધાબળો ગરીબોમાં દાન કરો.
ઘરમાં સવાર-સાંજ કપૂર સળગાવો. તેનાથી ઘરમાં સકારાત્મકતા રહે છે.