ભારતમાં ધનતેરસ અને દિવાળી જેવા તહેવારો પર ખૂબ ખરીદી કરવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ અને દિવાળીના ખુબ શુભ મૂર્હુત છે.
60 વર્ષ બાદ યોજાશે આ શુભ સંયોગ
પુષ્ય નક્ષત્રોનું શાસ્ત્રોમાં ખુબ મહત્વ છે
આ દિવસે ખરીદી કરવાથી થઇ જશો માલામાલ
જ્યોતિષાચાર્યોનું માનીએ તો, દિવાળી પહેલા ખરીદી કરવાનો મહામૂર્હુત બની રહ્યો છે. ગુરુ પુષ્ય નક્ષત્ર 60 વર્ષ બાદ શનિ-ગુરુ યુતિમાં આવી રહ્યો છે. 28 ઓક્ટોબરે શનિ અને ગુરુની યુતિ રહેશે. જેનાથી પુષ્ય નક્ષત્રની શુભતા વધશે.
આ છે શ્રેષ્ઠ મૂર્હુત
આ દિવસે ખરીદી કરવાનું શ્રેષ્ઠ મૂર્હુત સવારે 6.33 થી સવારે 9.42 મિનીટ સુધી રહેશે.
60 વર્ષ બાદ આવો સંજોગ
જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર ગ્રહ ગોચરમાં પુષ્ય નક્ષત્રના સ્વામી અને ઉપસ્વામીની યુતિ લગભગ 60 વર્ષ બાદ થઇ રહી છે. આ પહેલા આવો શુભ સંયોગ 1961માં બન્યો હતો.
પુષ્ય નક્ષત્રનું મહત્વ
શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રને નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. કહેવાય છે કે આ નક્ષત્ર પર શનિ અને ગુરુની વિશેષ કૃપા થાય છે. આ વર્ષે 28 ઓક્ટોબરે શનિ અને ગુરુની યુતિ મકર રાશિમાં રહેશે. માન્યતા છે કે આ શુભ સંયોગમાં ખરીદી કરવી ઉત્તમ છે.
આ દિવસે વસ્તુઓ ખરીદવી લાભકારી
શાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્રમાં ઘર, જમીન, સોનુ ચાંદી, વાહન કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવી શુભ માનવામાં આવે છે. આ દિવસે વીમા પોલીસી, શેર માર્કેટમાં ઇનવેસ્ટ કરવું પણ શુભ માનવામાં આવે છે.