કૌન બનેગા કરોડપતિ એક એવુ મંચ છે જ્યાં એન્ટરટેઇનમેન્ટ સાથે કન્ટેસ્ટન્ટના ટેલેન્ટના આધારે પૈસા જીતવાનો અવસર આપે છે. કેબીસીમાં દરેક ક્ષેત્રથી જોડાયેલા સવાલો પૂછવામાં આવે છે, ઘણીવાર સવાલોના કારણે કેબીસી લોકોના નિશાને આવી જાય છે.
કોન બનેગા કરોડપતિ વિરુદ્ધ ફરિયાદ
મનુસ્મૃતિ પર પૂછવામાં આવ્યો હતો સવાલ
કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં પૂછ્યો હતો સવાલ
હાલમાં જ મનુસ્મૃતિથી જોડાયેલા એક સવાલના કારણે ખળભળાટ મચી ગયો છે. સોશ્યલ મિડીયા પર જ લોકો વિરોધ નથી કરી રહ્યાં પરંતુ શૉ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઇ ચૂકી છે.
મહત્વનું છે કે, આ સવાલને લઇને હિન્દુઓની ભાવનાઓને ધક્કો લાગ્યો છે. આ પહેલા મનુ સ્મૃતિને લઇને પૂછવામાં આવેલા સવાલ પર ફિલ્મ મેકર વિવેક અગ્નિહોત્રીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે શૉ પર કમ્યૂનિટ્સનો કબ્જો થઇ ગયો છે. જો કે ઘણા લોકોએ આ સવાલને લઇને થઇ રહેલા વિરોધને ખોટો બતાવ્યો હતો.
KBC has been hijacked by Commies. Innocent kids, learn this is how cultural wars are win. It’s called coding. pic.twitter.com/uR1dUeUAvH
શું છે તે વિવાદિત પ્રશ્ન
શુક્રવારે રાત્રે કર્મવીર સ્પેશિયલ એપિસોડમાં અમિતાભ બચ્ચને મનુ સ્મૃતિને જોડાયેલો સવાલ પૂછ્યો. જેમાં વીડિયો બતાવવામાં આવ્યો હતો. સવાલ હતો કે 25 સપ્ટેમ્બર 1927ના રોજ ડૉ. બી આર આંબેડકર અને તેમના અનુયાયીઓએ ક્યા ધર્મગ્રંથને સળગાવ્યો હતો. વિષ્ણુ પુરાણ, ભગવતગીતા, ઋગવેદ અને મનુસ્મૃતિ ઓપ્શન હતા. તેમાં મનુસ્મૃતિ ઓપ્શન સાચો નિકળ્યો હતો.
લોકોનો આરોપ છે કે ઓપ્શનમાં માત્ર એક જ ધર્મના વિશેષ પુસ્તકોની વાત કરવામાં આવી છે જે ખોટી છે. તો લખનઉમાં હજરતગંજમાં શનીવારે શૉ વિરુદ્ધ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષ ઋષિ કુમાર ત્રિવેદીએ ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ સવાલ ખૂબ જ આપત્તિજનક હતો આ હિન્દુ સમાજનું અપમાન હતુ.