બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:48 PM, 17 April 2025
Baba Vanga Future Predictions : બાબા વાંગાએ 2025 માં 'ખતરનાક ભૂકંપ' ની આગાહી કરી હતી. જોકે તેમની સત્તાવાર આગાહીઓમાં આનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ આ હોવા છતાં, લોકો 9/11 જેવી ઘટનાઓની આગાહી કરનારા બાબા વાંગાની આગાહી પર વિશ્વાસ કરે છે.
ADVERTISEMENT
બાબા વેંગાની ભવિષ્યવાણી
Baba Vanga Future Predictions : ભવિષ્યમાં શું થશે તે અંગે માનવ મનમાં હંમેશા જિજ્ઞાસા રહે છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે, ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે. બાબા વાંગાની ભવિષ્યવાણીઓ વિશે લોકોમાં હંમેશા ઉત્સુકતા રહે છે. વર્ષ 2025 માટે તેમની ઘણી આગાહીઓ જાહેર થઈ. વાંગેલિયા પાંડેવા ગુશ્તેરોવા એટલે કે બાબા વાંગાનો જન્મ 31 જાન્યુઆરી 1911ના રોજ થયો હતો. તેઓ બાળપણથી જ અંધ હતા. તેમણે પોતાના જીવનનો મોટાભાગનો સમય બલ્ગેરિયાના બેલાસિકા પર્વતોમાં વિતાવ્યો. અંધ હોવા છતાં, તેમણે કરેલી આગાહીઓ આજે પણ લોકોને હચમચાવી નાખે છે. 2025 માટેની તેમની આગાહીઓ સાચી સાબિત થઈ છે. ચાલો તમને તેમના વિશે જણાવીએ.
ADVERTISEMENT
બાબાએ 2025 ભૂકંપની પણ કરી હતી આગાહી
બાબા વાંગાએ 2025 માં 'ખતરનાક ભૂકંપ' ની આગાહી કરી હતી. જોકે તેમની સત્તાવાર આગાહીઓમાં આનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ આ હોવા છતાં, લોકો 9/11 જેવી ઘટનાઓની આગાહી કરનારા બાબાની આગાહી પર વિશ્વાસ કરે છે.
મ્યાનમારમાં કુદરતનો વિનાશ જોવા મળ્યો
28 માર્ચ, 2025 ના રોજ, મ્યાનમારમાં એક ખતરનાક ભૂકંપ આવ્યો, જેમાં 2700 થી વધુ લોકો મૃત્યુ પામ્યા. હજારો લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવામાં બચાવ કાર્યકરોને ઘણા દિવસો લાગ્યા. આ ઘટનામાં 4500 લોકો ઘાયલ થયા હતા અને 441 લોકો ગુમ થયા હતા. બાબા વાંગાની ભૂકંપ વિશેની આગાહી સાચી પડતાં જ લોકોએ ભવિષ્ય વિશે તેણીએ શું કહ્યું હતું તે શોધવાનું શરૂ કર્યું.
1996 માં બાબા વેંગાનું નિપજ્યું મોત
11 ઓગસ્ટ 1996 ના રોજ આ દુનિયા છોડી ગયેલા બાબા વાંગાએ પણ આગાહી કરી હતી કે 2025 માં યુરોપમાં યુદ્ધ ફાટી નીકળશે અને સમગ્ર વિશ્વ આર્થિક સંકટનો ભોગ બનશે. કેટલાક અહેવાલો તો એવું પણ કહે છે કે બાબા વાંગાએ 2025નું વર્ષ માનવતાના પતનની શરૂઆત તરીકે આગાહી કરી હતી.
મ્યાનમાર બાદ ટોંગામાં પણ ભૂકંપ
મ્યાનમારમાં આવેલા ભૂકંપના બે દિવસ પછી, ટોંગામાં પણ 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ પર્શિયન ટાપુ દેશ માટે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી હતી. જોકે, જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.
બાબા વાંગાની અન્ય આગાહીઓ
બાબા વાંગાની અન્ય આગાહીઓ વિશે વાત કરીએ તો, યુરોપમાં યુદ્ધ ફાટી નીકળશે અને ખંડની વસ્તીનો નાશ થશે. તેમની બીજી આગાહીમાં કહેવામાં આવ્યું હતું કે, માનવજાત વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો માટે અન્ય ગ્રહો તરફ વળી શકે છે. તેમણે ખાસ કરીને ગરમ અને ગાઢ ગ્રહ શુક્રને સંભવિત વિકલ્પ તરીકે દર્શાવ્યો છે. જો કે આ આગાહી ખુબ જ ચોંકાવનારી છે.
પૃથ્વી હવે રહેવા યોગ્ય રહેશે નહીં
આબોહવા પરિવર્તન પહેલાથી જ ગ્રહનો નાશ થઇ રહ્યો છે. બાબા વાંગાના મતે, 2033 માં બરફ ઝડપથી પીગળી જશે. જેના કારણે સમુદ્રનું સ્તર વધશે. પરંતુ 3797 સુધીમાં પૃથ્વી રહેવા યોગ્ય રહેશે નહીં. આ વર્ષે મનુષ્યો પૃથ્વી છોડી દેશે. તેમની આગાહીઓ અનુસાર, વિશ્વનો અંત વર્ષ 5079 સુધીમાં આવશે.
માનવ એલિયન સાથે સંપર્ક પણ કરશે અને યુદ્ધ પણ
પણ તે પહેલાં માણસ ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે. વર્ષ 2130 માં, માનવીઓ એલિયન્સ સાથે સંપર્ક કરશે. આ ઉપરાંત, મંગળ સભ્યતા સાથે યુદ્ધ વર્ષ 3005 માં થશે. મંગળ પર મનુષ્યોને ઉતારવાની તૈયારી ચાલી રહી છે અને એલોન મસ્ક આગામી 10 વર્ષમાં આ કરવા માંગે છે. બાબા વાંગાની આગાહી પરથી એવું લાગે છે કે મનુષ્યોએ મંગળ પર ન જવું જોઈએ. નહી તો યુદ્ધ ફાટી નિકળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.