સાઉથ આફ્રિકા સામેની ટી-20 સીરિઝ અને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાનું એલાન થઈ ગયું છે. બંને ટીમમાંથી બે સિનિયર ખેલાડીઓની બાદબાકી થતાં તેઓના કરિઅર પર સવાલ ઊભો થઈ ગયો છે.
સતત ખરાબ પ્રદર્શનના કારણે ઇશાંત શર્માની ટીમમાંથી બાદબાકી
ઇશાંત શર્માનુ કરિયર ખતમ થવાને આરે
સેલેક્ટર્સએ સતત બીજી સીરીઝથી આ ખેલાડીનું નામ કાઢ્યું
ભારતીય ટીમના સેલેક્ટર્સે આવતા મહિને સાઉથ આફ્રિકા વિરુદ્ધ શરુ થવા વાળી 5 મેચોની T 20 ઇન્ટરનેશનલ સીરીઝ અને ઈંગ્લેન્ડના વિરુદ્ધ જુલાઈમાં થઈ રહેલી 5 મી ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાનુ એલાન કરી દીધુ છે. ઈંગ્લેંડ વિરુદ્ધ આ ટેસ્ટ મેચ છેલ્લા વર્ષે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અધુરી છુટેલી 5 મેચોની ટેસ્ટ સીરીઝની 5મી અને આખરી મેચ છે. આ ટેસ્ટ મેચ પાછલા વર્ષે કોરોનાને કારણે સ્થગિત કરવામાં આવી હતી.
સમાપ્ત થયુ ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીનું કરીયર !
ટીમ ઈન્ડિયાના એક દિગ્ગજ ખેલાડીનું કરિયર લગભગ સમાપ્ત થઈ ગયુ છે. સેલેક્ટર્સે સતત બીજી સીરીઝથી આ ખેલાડીને બહાર કર્યા છે. આ વર્ષે માર્ચમાં શ્રીલંકા વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ સીરીઝમાંથી પણ આ ખેલાડીને બહાર કર્યા છે. હવે આ ખેલાડીની ટીમ ઈન્ડિયામાં વાપસી એ કોઈ ચમત્કારથી ઓછી નથી.
આ ખેલાડી ને સેલેક્ટર્સે બાહરનો રસ્તો બતાવ્યો
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ અને તેજ બોલર ઈશાંત શર્માને સેલેક્ટર્સે સતત બીજી સીરીઝથી બાહરનો રસ્તો બતાવીને તે સાબીત કરી દીધુ છે કે, હવે આ ખેલાડીનો કરિયર સમાપ્ત થઈ ચુક્યું છે. ઈશાંત શર્માએ ભારતીય ટીમ માટે પોતાનુ અંતિમ ઈંટરનેશનલ મેચ નવેમ્બર 2021માં રમ્યુ હતું. છેલ્લી વાર ઈશાંત શર્મા નવેમ્બર 2021માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાતી કાનપુર ટેસ્ટમાં નજરે પડ્યા હતા. ઈશાંત શર્મા તે મેચમાં પણ એક પણ વિકટે નહોતા લઈ શક્યા.
અજિંક્ય રહાણેને પણ ટેસ્ટ અને ટી-20 બંને ટીમમાં સ્થાન નહીં
સતત નબળા પ્રદર્શન બાદ ટીમ ઇંડિયન સિનિયર રાઇટ હેન્ડેડ બેટ્સમેન અજિંક્ય રહાણેને પણ ટેસ્ટ અને ટી-20 બંને ટીમમાં સ્થાન નથી મળ્યું. ટેસ્ટ ટીમનો તો રહાણે રેગ્યુલર ખેલાડી માનવામાં આવતો હતો પણ આઆ વખતે તેનું પત્તું પણ કપાયું છે. તેની સાથે વધુ એક સિનિયર ખેલાડી પૂજાર પણ આઉટ ઓફ ફોર્મ હતો પણ ઇંગ્લિશ કાઉન્ટીમાં તેનું પરફોર્મન્સ જોતાં તેને ફરી ટીમ ઇન્ડિયામાં સામેલ કરાયો હોવાનું માનવામાં આવે છે.
પૂજારાએ સ્થાન મેળવ્યું
પૂજારા ઈંગ્લેન્ડ રમાઈ રહેલી કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર પર્ફોર્મરન્સ આપી રહ્યો હતો ત્યારે અહીં ભારતમાં રમાઈ રહેલી IPL 2022 માં રહાણે નું પર્ફોર્મરન્સ અત્યંત સાધારણ રહ્યું હતું જેના કારણે તેને ટીમમાં સ્થાન મળી શક્યું નથી. ભારતીય ટીમમાં બેટ્સમેનોનું ફોર્મ અને સંખ્યા જોતાં ફરી રહાણેને વાપસી કરવા માટે ઘણી મહેનત કરવી પડશે એવું લાગી રહ્યું છે.
ટીમ ઈન્ડિયાથી કેમ બાહર કરવામાં આવ્યા ?
ટીમ ઈન્ડિયામાં મોહમ્મદ સિરાઝ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુર જેવા બોલર સારુ રમી રહ્યા છે. તેવામાં ટીમ ઈન્ડિયાથી ઈશાંત શર્માની પણ છુટ્ટી થઈ ગઈ છે. ઈશાંત શર્માએ ભારત માટે અત્યાર સુધી 105 ટેસ્ટ મેચ રમીને 311 વીકેટ મેળવી છે. છેલ્લા ધણા વર્ષોથી ઈશાંત શર્માનું પ્રદશન ખુબજ ખરાબ રહ્યું છે.