India vs West Indies સીરીઝ પહેલા જ ટીમ ઇન્ડિયાને એક મોટો જટકો લાગ્યો છે, તેનો એક ધાકડ ખેલાડી આખી સીરીઝથી બહાર થઇ ચુક્યો છે.
આ સ્ટાર પ્લેયર થયો કોરોના પોઝીટીવ
રોહિત શર્માની વાપસી
6 ફેબ્રુઆરીએ પહેલી મેચ
India vs West Indies: ભારત તથા વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રણ વન ડે મેચોની સીરીઝની પહેલી મેચ ૬ ફેબ્રુઆરીનાં રોજ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે, પરંતુ એ પહેલા જ ટીમ ઇન્ડિયાને એક મોટો ઝટકો લાગ્યો છે, તેનો એક ધાકડ ખેલાડી આખી સીરીઝથી બહાર થઇ ચુક્યો છે.
ભારતીય ટીમને વેસ્ટઇન્ડીઝ(West Indies) વિરુદ્ધ ત્રણ વન ડે મેચોની સીરીઝની પહેલી મેચ ૬ ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, પરંતુ એ પહેલા ભારતીય ટીમ મુશ્કેલીમાં ફંસાતી દેખાઈ રહી છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર બેટ્સમેન શિખર ધવન, વ્રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, નવદીપ સેની બાદ ટીમનો એક સ્ટાર ખેલાડી કોરોના પોઝીટીવ થઇ ચુક્યો છે. જેથી સીરીઝ પર સંકટ મંડરાય રહ્યો છે.
હવે આ સ્ટાર પ્લેયર થયો કોરોના પોઝીટીવ
ટીમમાં રવીન્દ્ર જાડેજાની જગ્યાએ શામિલ થયેલ ઘાતક ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના પોઝીટીવ આવ્યા છે. આ ટીમ ઇન્ડિયા માટે કોઈ સદમાથી ઓછું નથી. અક્ષર પટેલ કોરોના પોઝીટીવ થવાવાળા પાંચમાં ભારતીય ખેલાડી બન્યા છે. તેઓ આ ટીમ ઇન્ડિયાના નંબર ૧ ઓલરાઉંડર છે. આવામાં તેમની જગ્યા ભરવી સરળ નહિ હોય. વેસ્ટઇન્ડીઝ સીરીઝથી જ ફૂલ ટાઈમ કપ્તાન બનેલા રોહિત શર્માની પહેલી વન ડે સીરીઝ હશે, પરંતુ હવે તેમાં મુશ્કેલીઓ ઉભી થતી જોવા મળે છે.
શાનદાર ખેલાડી છે અક્ષર પટેલ
અક્ષર પટેલ પોતાની બોલિંગ માટે પ્રસિદ્ધ છે. તેમના બોલ્સને રમવું કોઈપણ માટે આસન નથી. ડેથ ઓવર્સમાં તેઓ ખૂબ જ કમાલની બોલિંગનો નજારો બતાવે છે. તેઓ પોતાની કાતિલાના બોલિંગ તથા ધાકડ બેટિંગ માટે પ્રખ્યાત છે. સફેદ દડાના ક્રિકેટમાં તેઓ પોતાની બેટિંગની કમાલ બતાવી શકે છે. ટીમ ઇન્ડિયા માટે પટેલ બેટિંગ, બોલિંગ તથા ફિલ્ડીંગ ત્રણેય ડિપાર્ટમેંટમાં ફીટ બેસે છે. આ ખેલાડીએ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરીઝમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું. આવામાં એમના કોરોના પોઝીટીવ થવાથી ટીમને મોટો જટકો લાગ્યો છે.
આ ખેલાડી થઇ ગયા આખી સીરીઝથી બહાર
શિખર ધવન, વૃતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર તથા નવદીપ સેની સહીત સહયોગી સ્ટાફના ચાર સદસ્યો સિવાય અક્ષત પટેલ પણ વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ સીરીઝની શરૂઆત પહેલા અનિવાર્ય ક્વોરન્ટીન દરમિયાન વાયરસથી સંક્રમિત થયા. સીરીઝની શરૂઆત ૬ ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં થશે જે ભારતની 1000મી વન ડે ઇન્ટરનેશનલ હરીફાઈ હશે પરંતુ આ પાંચેય ખેલાડી હવે સીરીઝમાં નહિ રમી શકે, કેમકે તેમને એક અઠવાડીયાના કવોરન્ટીનથી પસાર થવું પડશે તથા ત્યાર બાદ બે નેગેટીવ આરટી-પીસીઆર રીપોર્ટસ બાદ જ તેઓ ટીમમાં જોડાઈ શકે છે. ખેલાડીઓના કોરોના પોઝીટીવ થતા જ પૂરી ટીમને કવોરન્ટીન કરવામાં આવી છે.