જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા ગ્રહો પણ છે જે વ્યક્તિઓની ખરાબ આદતો સાથે જોડાયેલા છે. વ્યક્તિઓને તે ખરાબ આદત તરફ આકર્ષિત કરે છે.
ડ્રગ્સની આદત માટે આ ગ્રહ જવાબદાર?
રાહુને શાંત પાડવા માટે આ ઉપાય કરો
નશો કરવા માટે આ ગ્રહ કરે છે અસર
રાહુ બનાવે છે નશાના આદિ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુને પાપની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. જીવનમાં ઘટનારી ઘટનાઓ પાછળ આ ગ્રહનો મોટો હાથ હોય છે. કહેવામાં આવે છે કે આ ગ્રહ રાજાને રંક અને રંકને રાજા બનાવવાની ક્ષમતા રાખે છે. માટે આ ગ્રહને રહસ્યમયી ગ્રહ માનવામાં આવે છે. રાહુ અશુભ થવા પર વ્યક્તિને ખોટી સંગત સાથે ડ્રગ્સ અને દારૂ જેવી ખરાબ અસર પણ પ્રદાન કરે છે. જન્મ કુંડળીમાં જો રાહુ પહેલા, બીજા સાતમા અને બારમા સ્થાન પર બિરાજમાન છે તો કોઇ ને કોઇ વસ્તુનો આદી બનાવી જે છે.
ડ્રગ્સથી દૂર રહેવા માટે કરો રાહુનો ઉપાય
રાહુને ખુબ પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવ્યો છે. રાહુને શાંત કરવો ખુબ જરૂરી છે. જન્મકુંડળીમાં જો રાહુ અશુભ હોય તો તેને શુભ બનાવવા માટે પ્રયત્ન કરવાં જોઇએ. જો કુંડળીમાં કાલસર્પ દોષ કે પિતૃદોષ હોય તો તેની શાંતિ કરાવવી જોઇએ. કારણકે આ અશુભ દોષ લાગવાના કારણે જ માણસ નશાની આદત નથી છોડી શકતો.
27 ઓક્ટોબરે રાહુને શાંત કરવાનો સંયોગ
પંચાંગ અનુસાર 27 ઓક્ટોબર 2021 બુધવારે કાર્તિક માસની કૃષ્ણપક્ષની ષષ્ઠી તિથિ છે. આ દિવસે આદ્રા નક્ષત્ર છે. આદ્રાનો સ્વામી રાહુ છે અને ભગવાન શિવ આદ્રા નક્ષત્રના સ્વામિ છે. વામન પુરાણ અનુસાર વિષ્ણુના કેશમાં આદ્રાનો નિવાસ છે. માટે આ દિવસે ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા કરવી જોઇએ.