ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા વીશે બધા જાણે છે પણ શુ તમે જાણો છો કે તમે જાણો કે તેમનુ મિલન ક્યાં થયુ હતુ? આજે અમે તમને જણાવીશું કૃષ્ણ અને રાધાના મિલન વિશે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર મથુરાથી 25 કિ.મી દૂર બરસાના ગામ આવેલું છે. કાનાની પ્રિય રાધા આ ગામમાં રહેતી હતી. પદ્મ પુરાણ અનુસાર રાધા વૃષભાનું મહારાજાની પુત્રી હતી.
કેટલીક અન્ય માન્યતાઓ અનુસાર રાધાનો જન્મ યમુનાની નજીક રાવલ ગામમાં થયો હતો ત્યારબાદ તેમના પિતા બરસાનામાં આવીને રહેવા લાગ્યા. આ માન્યતા અનુસાર કૃષ્ણ અને વૃષભાનું વચ્ચે અધિક પ્રેમ હતો.
કંસ દ્વારા મોકલવામાં આવેલા અસુરોનો ત્રાસ વધી જવાને કારણે નંદરાય પોતાના પરિવાર સહિત ગોકુળ-મહાવન છોડીને નંદગામમાં નિવાસ કરવા લાગ્યા તો વૃષભાનું પોતાના પરિવાસ સહિત તેમની પાછળ પાછળ રાવલ ગામનો ત્યાગ કરીને જતા રહ્યા અને નંદગામની પાસે બરસાનામાં આવીને રહેવા લાગ્યા.
તેમના આ ગામમાં નિવાસ કરવાના કારણે આ ગામનું નામ બરસાના ગામ પડ્યું. જે સ્થાન પર વૃષભાનુંજી બેઠા હતા તે સ્થાન પર શ્રી રાધા રાણી મંદિર છે. આ મંદિરમાં શ્રી રાધા રાનીના વિગ્રહની નિત્ય પૂજા-અર્ચના કરવામાં આવે છે.
વ્રજધામમાં જેટલા પણ મંદિર છે તેમાં શ્રી રાધા રાનીનું મંદિર સર્વોપરી છે. કહેવામાં આવે છે કે જે રીતે કાન્હા પોતાની બાલ્યાવસ્થામાં મિત્રોની સાથે નંદગામમાં રમતા હતા. તે રીતે રાધા પણ બાલ્યવસ્થામાં પોતાની સખીઓ સાથે બરસાનામાં રમતી હતી જ્યાં કનૈયા અને રાધાનું મિલન થયું હોવાનું પૌરાણિક કથાઓમાં કહેવામાં આવ્યું છે.