અમદાવાદ પોતાના પ્રભાવશાળી વિરાસત અને સંસ્કૃતિના કારણે ખરીદી માટે ઘણા વિકલ્પ પૂરા પાડે છે, અહીંથી શોપિંગ કરીને તમે આ શહેરના રંગ અને ફેશનનો અનુભવ કરી શકો છો. અહીંયા શહેરના સૌથી શાનદાર ફેશનેબલ સ્પોટ છે જે અમદાવાદમાં સ્ટ્રીટ શોપિંગ સ્થળો તરીકે સૌથી વધારે પ્રસિદ્ધ છે. તો ચલો જણાવીએ અમદાવાદના શોપિંગ માર્કેટ માટે.
લાલ દરવાજા માર્કેટ
લાલ દરવાજા શોપિંગ માર્કેટ અમદાવાદનું સૌથી જાણીતું સ્ટ્રીટ શોપિંગ માર્કેટ છે. જ્યાં કપડાં, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ અને સ્ટ્રીટ ફૂડની ખરીદી કરી શકો છો. એનો ખુલવાનો સમય સવારે 11 વાગ્યાથી અને બંધ થવાનો સમય રાતે 10 વાગ્યાનો છે. આ માર્કેટ ખૂબ જ ભીડભાડ વાળું છે. અહીંયા ચોલી, ઘાઘરો, સાડી, જૂતા ચંપલ, જૂની પુસ્તકોની દુકાન, બાળકો માટે કપડાં અને ખાવા પીવાની પણ ચીજ ખરીદી શકો છો.
સિંધી માર્કેટ
સિંધી માર્કેટ અમદાવાદમાં બેડ શીટ, ડ્રેસ આઇટમ, સાડી, કપડાં અને ટ્રેડિશનલ ચીજો માટેનું એક લોકપ્રિય માર્કેટ છે. આ પ્રસિદ્ધ બજાર કાલુપુર ગેટ પાસે છે. બીજું એક અન્ય લોકપ્રિય બજાર, રેવડી માર્કેટ જે કપડા માટે લોકપ્રિય છે. જે સિંધી માર્કેટની પાસે સ્થિત છે.
ઢાલ ગારવાડ
આ પણ એક સ્ટ્રીટ શોપિંગ છે. જ્યાં તમને વિવિધ પ્રકારની જ્વેલરી, ફેબ્રિક આઇટમ અને સાડીઓ ખરીદી શકો છો. આ માર્કેટ સુધી પહોંચવા પૂરું સરનામું છે ઢાલગારવાડ, ખાડિયા, અમદાવાદ ગુજરાત. આ બજારમાં પ્રાચીન આભૂષણો, બાંધણી અને સિલ્ક પટોળા સાડીઓ જેવી પારંપરિક કપડા માટે ખૂબ લોકપ્રિય છે. આ બજારમાં મંગલગિરિ, દક્ષિણ કપાસ, ,જયપુરી પ્રિન્ટ, કલામકારી અને બીજું ઘણું છે. જો તમે ચણિયાચોલી, એથનિક ઇન્ડિયન સાડી, પારંપારિક કુર્તા વગેરે જેવા કપડાં શોધી રહ્યા છો તો અહીંયા તમને બધું મળી જશે.
માણેકચોક માર્કેટ
જૂના અમદાવાદમાં માણેકચોક માર્કેટ એક લોકપ્રિય શોપિંગ માર્કેટ છે. આ કેટલીક ઐતિહાસિક સંરચનાઓથી ઘેરાયેલું છે. માણેકચોકમાં સવારના સમયે શાકનું માર્કેટ ખુલે છે, બપોરે સોના ચાંદીનું બજાપ અને રાતે ખાણીપીણી માર્કેટ ખુલે છે. આ લોકપ્રિય માર્કેટનું નામ સંત માણેકનાથના નામ પરથી રાખવામાં આવ્યું છે. માણેકચોકનું જ્વેલરી માર્કેટ 3 મિલીયન રૂપિયાના વાર્ષિક વેપારની સાથે ભારતમાં બીજું સૌથી મોટું માર્કેટ છે.
રાણીનો હજીરો
આ સ્ટ્રીટ માર્કેટ મહિલાઓના કપડા અને ગરબાના ટ્રેડિશનલ ડ્રેસ માટે ફેમસ છે. આ માર્કેટ માણેકચોકની નજીક જ છે. અહીંયા તમે ગાંધી રોડ થઇને પહોંચી શકો છો. આ માર્કેટ સવારે 11 વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે.
લૉ ગાર્ડન (Law garden)
આ એક સ્ટ્રીટ માર્કેટ છે. જે સાર્વજનિક પાર્કમાં સ્થિત છે. અહીં તમને હેન્ડીક્રાફ્ટ, શોપિંગ મોલ અને સ્ટ્રીટ ફૂડ ખાવા મળી જશે. આ માર્કેટ સવારે 6 વાગ્યાથી રાતે 10:30 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. આ માર્કેટમાં જવા માટે નેતાજી રોડથી એલિસબ્રિજ પર જવું પડશે.
ફર્નાડિઝ બ્રિઝ માર્કેટ
આ સ્ટ્રીટ માર્કેટ પુસ્તકો માટે જાણીતું છે. અહીંયા તમે નવી અને જૂની બુક ખરીદી શકો છો. સાથે જ જૂની પુસ્તકો વેચી શકો છો.
ચિમનલાલ ગિરધરલાલ રોડ (CG રોડ)
આ માર્કેટ ખૂબ જ ફેમસ છે અહીંયા ઘણા મોટા શોપિંગ સેન્ટર અને શોપિંગ મોલ્સ છે. અહીંયા તમે ટ્રેડિશનલ શોપ અને હેન્ડમેડ પેન્ટેડ પોટરે અને ગારમેન્ટ ખરીદી શકો છો. આ માર્કેટ સવારે 11 થી રાતના 11 વાગ્યા સુધી ખુલ્લુ હોય છે.
રાયપુર ગેટ
ગુજરાતના મસાલા, સ્નેક્સ અને કેટલાક ખાવા પીવાની ચીજો તમે રાયપુર ગેટ સ્ટ્રીટ માર્કેટથી પ્રાપ્ત કરી શકો છો. અહીંયાથી તમે ગુજરાતી ફરસાણની શોપિંગ કરી શકો છો.
રમકાડા માર્કેટ
આ માર્કેટ લાકડાના રમકડાં, કલાકૃતિઓ, ક્રિસમસ ટ્રી, દિવાળી લાઇટ્સ વગેરે માટે જાણીતું છે.