ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું ગુરુાવરે સાંજે નિધન થઇ ગયું છે. એ 93 વર્ષના હતા. અટલજીના નિધન પર 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. નિધન બાદ અટલ બિહારી વાજપેયીનું પાર્થિવ શરીર કૃષ્ણ મેનન માર્ગ સ્થિત એમના ઘરે આખી રાત રાખવામાં આવ્યું. સવારે 9 વાગ્યે પાર્થિવ દેહ ભાજપ મુખ્યાલય લાવવામાં આવી. મહાત્મા ગાંધીની સ્મૃતિ સ્થળ નજીક અટલજીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે અટલ બિહારી વાજપેટયીને મુખાગ્નિ કોણ આપશે? વાસ્તવમાં અટલ બિહારી વાજપેયીએ ક્યારેય પણ લગ્ન કર્યા નહતા. એવામાં એમના પાર્થિવ શરીરને મુખાગ્નિ કોણ આપશે એ પ્રશ્ન દરેકના મનમાં છે. એમને મુખાગ્નિ આપવામાં સૌથી આગળ જે નામ છે એ નમિતાનું...જે એમની દત્તક પુત્રી માનવામાં આવે છે. વાજપેયીના પ્રધઆનમંત્રિત્વ કાળમાં પણ રાજકુમારી કૌલ અને નમિતા એમના સરકારી ઘરમાં જ રહેતી હતી. નમિતા વાજપેયીની વૃદ્ધ અવસ્થામાં એમની દેખભાળ કરતી હતી. એવામાં શક્ય છે કે નમિતા જ ચિતાને આદ આપવાની ભૂમિકા નિભાવી શકે છે.
નમિતા કૌલના લગ્ન બંગાળ મૂળના રંજન ભટ્ટાચાર્ય સાથે થયા છે. વાજપેયીના પ્રધાનમંત્રિત્વ કાળ રંજન અને નમિતા ખાસ ચર્ચામાં રહેતા હતા. શક્ય છે કે જો નમિતા મહિલા હોવાને કારણે મુખાગ્નિ આપી શકતી નથી તો આ જવાબદારી રંજન ભટ્ટાચાર્ય નિભાવે અનુપ મિશ્રા પણ એક શક્યતા છે. વાજપેયીના ભાણેજ અનુપ મિશ્રા.
અટલ બિહારી વાજપેયીનો પરિવાર મળ રૂપથી મધ્ય પ્રદેશના ગ્વાલિયરનો રહેવાસી છે. ત્યાં આજે પણ એમનો પરિવાર રહે છે. ગ્વાલિયરમાં રહેતી એમની ભત્રીજી કાંતિ વાજપેયીએ કહ્યું કે હક તો અમારા પરિવારનો જ બને છે પરંતુ છેલ્લો નિર્ણય સર્વસંમિતિથી નક્કી થશે.