SITની તપાસમાં તત્કાલીન CM નરેન્દ્ર મોદીને બદનામ કરવાામાં પૂર્વ IPSની મહત્વની ભૂમીકા હોવાનું ખૂલ્યું, SIT દ્વારા તત્કાલીન ડિજીપી તે વખતના આઇબી ડિજીપીના નિવેદન નોંધશે
તિસ્તા સેતલવાડ કેસમાં SITની તપાસમાં ખુલાસો
તત્કાલીન CMને બદનામ કરવાામાં પૂર્વ IPSની મહત્વની ભૂમીકા
નરેન્દ્ર મોદીને બદનામ કરવા સંજીવ ભટ્ટની મહત્વની ભૂમિકા
SIT દ્વારા તત્કાલીન ડિજીપી તે વખતના આઇબી ડિજીપીના નિવેદન નોંધશે
તિસ્તા સેતલવાડ કેસમાં SITની તપાસમાં એક મોટો ખુલાસો થયો છે. જે મુજબ તત્કાલીન CMને બદનામ કરવાામાં પૂર્વ IPSની મહત્વની ભૂમીકા હોવાનું ખૂલ્યું છે. નોંધનિય છે કે, સંજીવ ભટ્ટે તત્કાલીન CM સાથે મિટીંગમા હોવાનો ખોટો દાવો કર્યો હતો. સંજીવ ભટ્ટે કોર્ટમા ખોટુ સોંગદનામુ કર્યુ હોવાનો ખુલાસો થયો હતો. આ સાથે રમખાણો વખતે બોલાવેલી બેઠકમા સંજીવ ભટ્ટ ન હોવાનો ખુલાસો પણ થયો હતો. આ તરફ હવે SIT દ્વારા તત્કાલીન ડિજીપી, તે વખતના આઇબી ડિજીપીના નિવેદન નોંધવામાં આવશે.
નરેન્દ્ર મોદીને બદનામ કરવા સંજીવ ભટ્ટની મહત્વની ભૂમિકા
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવામાં સંજીવ ભટ્ટની મહત્વની ભૂમિકા હોવાનો તિસ્તા સેતલવાડ કેસમાં SITની તપાસમાં ખુલાસો થયો છે. આ અગાઉ સંજીવ ભટ્ટે તત્કાલીન CM સાથે મિટીંગમા હોવાનો ખોટો દાવો કર્યો હતો. જોકે બાદમાં રમખાણો વખતે બોલાવેલી બેઠકમા સંજીવ ભટ્ટ ન હોવાનો પણ ખુલાસો થયો હતો. જેને લઈ હવે SIT દ્વારા તત્કાલીન ડિજીપી અને તે વખતના આઇબી ડિજીપીના નિવેદન નોંધવામાં આવશે.
SIT હવે તત્કાલીન અધિકારીઓના નિવેદન નોંધશે
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને બદનામ કરવામાં સંજીવ ભટ્ટની મહત્વની ભૂમિકા હોવાનો ખુલાસો થયો છે. જે બાદમાં હવે SIT દ્વારા તત્કાલીન ડિજીપી તે વખતના આઇબી ડિજીપીના નિવેદન નોંધશે. આ સાથે તે વખતના એસીએસ હોમ સહિતના અધિકારીઓના નિવેદન નોંધશે. નોંધનિય છે કે, SIT દ્વારા સંજીવ ભટ્ટના ખોટા સોંગદનામા સામે તમામ અધિકારીઓના નિવેદન નોંધાશે.
અગાઉ પણ થયો હતો મોટો ખુલાસો
ગુજરાતના રમખાણોને લઇ SITએ પોતાના રિપોર્ટમાં મોટો ખુલાસો કર્યો હતો. પોલીસે સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આ સાથે SITએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપની સરકાર ભંગ કરવા માટે તીસ્તા મોટા ષડયંત્રમાં સામેલ હતી. સેસન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું કે, સેતલવાડ 2002ના રમખાણો બાદ ભાજપ સરકારનો ભંગ કરવા દિવંગત કોંગ્રેસ નેતા એહમદ પટેલના ઈશારા પર કરવામાં આવેલા મોટા ષડયંત્રમાં સામેલ હતી. ભાજપની સરકાર ભંગ કરવા માટે આરોપીઓએ કોંગ્રેસ સાથે અનેક બેઠકો પણ કરી અને એહમદ પટેલ પાસેથી રૂપિયા મેળવ્યા હતા.