અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને માત્ર ઇમરજન્સીની પરિસ્થિતિમાં આ દવાના ઉપયોગની મંજૂરી આપી હતી. અત્યાર સુધીમાં તે ફક્ત ગંભીર કોરોના દર્દીઓનેજ આપવામાં આવી રહી હતી. જો કે હવે તે બધા દર્દીઓની સારવાર માટે વાપરી શકાશે.
કોરોના પીડિતો માટે નવી દવા મંજૂર કરાઇ
USFDA એ આપી રેમેડિસવીરને મંજૂરી
કંપની આ દવાને વેકલેરીના નામથી વેચશે
યુનાઇટેડ સ્ટેટ્સે તેમના દેશમાં કોરોનાથી પીડિત દર્દીઓ પર એન્ટિવાયરલ ડ્રગ ઉપચારોના ઉપયોગની મંજૂરી આપી છે. હવે આ દવા હોસ્પિટલમાં દાખલ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની ટ્રીટમેન્ટમાં વાપરી શકાશે.
કંપનીએ આપ્યું આ નિવેદન
યુ એસની ડ્રગ નિર્માતા કંપની ગિલિયડ સાયન્સિસે જણાવ્યું હતું કે ડ્રગ એડમિનિસ્ટ્રેશને કોરોનાના ફેલાતા ગ્રાફને કારણે બધા હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે પ્રાયોગિક એન્ટિવાયરલ ડ્રગ ઉપચારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે.
આ અગાઉ, યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા ફક્ત ઇમરજન્સીમાં આ દવા વાપરવાની મંજૂરી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં તે ફક્ત ગંભીર કોરોના વાયરસથી પીડાતા દર્દીઓને આપવામાં આવી રહી હતી.
કંપનીએ કરી હતી મંજૂરી માટે અરજી
જો કે 10 ઓગસ્ટના રોજ, કેલિફોર્નિયા સ્થિત ગિલિયડે રેમેડિસવીરની ઔપચારિક મંજૂરી માટે અરજી કરી હતી. હવે તે વેકલરી નામના બ્રાન્ડ હેઠળ વેચવામાં આવશે.
ગિલિયડે એક નિવેદનમાં કહ્યું છે કે તે ઇમરજન્સી ઉપયોગની સુવિધાનું વિસ્તરણ છે. આ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના તાજેતરના ફેડરલ અભ્યાસના પરિણામો પર આધારિત છે. આમાં વિવિધ સ્તરોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગિલિયડના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે કોરોના વાયરસને લીધે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં, રેમેડિસવીરના ઉપયોગ પછી સુધારવાની સંભાવના 65 ટકાથી વધુ છે.