કેન્દ્ર સરકારે લૉકડાઉન 4.0માં મોટી રાહત આપી છે. આ સાથે જ કેન્દ્રએ ઝોનના આધારે રાજ્યોને પરમિશન આપી હતી. અનેક રાજ્યોમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયની તરફથી જાહેર કરાયેલી ગાઈડલાઈનનું પાલન યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું નથી. લૉકડાઉન4.0માં આ બેદરકારીના કારણે કોરોના સંક્રમણ વધારે ફેલાઈ શકે છે. આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રાલયે 2 દિવસ પહેલાં એડવાઈઝરી જાહેર કરી ચૂક્યું છે. તેમાં કહેવાયું છે કે કોવિડના પ્રસાર પર લગામ રાખવા માટે સરકારના દિશા નિર્દેશોમાં સામેલ ઉપાયોનું ખાસ રીતે પાલન કરવું અનિવાર્ય છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે ચેતવણી રૂપે જાહેર કરી એડવાઈઝરી
લૉકડાઉન4.0માં આપવામાં આવેલી છૂટછાટ ફેલાવી શકે છે કોરોના
સરકારના દિશા નિર્દેશોનું પાલન કરવું અનિવાર્ય
બેદરકારી દેખાડનારા રાજ્યોને હવે કેન્દ્ર સરકાર ચેતવણી આપવાની તૈયારી કરી રહી છે. શક્ય છે કે થોડા રાજ્યોને માટે અલગ નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવે. જે પણ ઉલ્લંઘન સામે આવી રહ્યા છે તેમાં સોશ્યિલ ડિસ્ટન્સિંગ, માસ્કનો ઉપયોગ, અલગ ઝોન આધારિત નિર્ધારિત માપદંડ, રાતનો કર્ફ્યૂ અને આરોગ્ય સેતુ એપનો પ્રયોગ ન કરવો વગેરે બાબતો સામેલ છે.
18મેથી 31 મે સુધી લૉકડાઉન 4.0
કેન્દ્રીય મૃહમંત્રાલયના એક અધિકારીના અનુસાર દરેક રાજ્યોમાં લૉકડાઉનની સ્થિતિ કેવી છે તેની પર નજર રાખવામાં આવી રહી છે. અનેક જગ્યાઓથી ઉલ્લંઘનનો રિપોર્ટ મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે કહ્યું કે હોટલ,સ રેસ્ટોરાં અને અન્ય આતિથ્ય સેવાઓ બંધ રહેશે. સ્વાસ્થ્ય, પોલીસ, સરકારી અધિકારીઓ અને સ્વાસ્થ્ય દેખરેખના કર્મચારીઓ, પ્રયટકો સહિત ફસાયેલા વ્યક્તિઓને રોકાવવા અને ક્વૉરન્ટાઈન સુવિધાઓને માટે આ સેવાઓના ઉપયોગની પરમિશન છે. રેસ્ટોરાં ખાદ્ય વસ્તુઓની હોમ ડિલિવરી માટે કિચન ચલાવવાની પરમિશન આપી શકે છે.
આ જગ્યાઓએ થઈ રહ્યો છે નિયમનો ભંગ
પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, બિહાર, પંજાબ, ઝારખંડ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અનેક જગ્યાઓએ નિયમનો ભંગ થઈ રહ્યો છે. જે લોકો માટે આ સુવિધા ચાલુ કરવામાં આવી હતી તેમને બાજુ પર રાખી દેવામાં આવ્યા છે. મરજીથી હોટલ્સ પણ ચાલુ કરી દેવામાં આવી છે. પહેલાં થોડા દિવસ સેનેટાઈઝર અને સોશ્યિલ ડિસ્ટન્સિંગનું પાલન જોવા મળ્યું પછી હવે કોઈ નિયમો જોવા મળતા નથી.
કન્ટેનમેન્ટ ઝોનમાં પણ નથી થઈ રહ્યું નિયમનું પાલન
લૉકડાઉન 4.0માં ઝોન નક્કી કરવાનો અધિકાર રાજ્યોને આપવામાં આવ્યો હતો. આ માટે કન્ટેનમેન્ટ, બફર, રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન રાજ્યો નક્કી કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માટે માનક તૈયાર કર્યા હતા. પરંતુ હવે કન્ટેનમેન્ટ ઝઓનમાં પણ જરૂરી ગતિવિધીને મંજૂરી આપવામાં આવી છે. પરંતુ અનેક રાજ્યમાં વધારે છૂટ આપવામાં આવી છે. આ ઝોનથી લોકોની બેદરકારી રોકવા માટેની વાત કરવામાં આવી હતી.
આ સમયે નિયમોનું કરાશે કડક પાલન
સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી લોકોની અવરજવાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં યોગ્ય રીતે કર્ફ્યૂનું પાલન થઈ રહ્યું નથી, લોકો આરોગ્ય સેતુ એપનો પણ ઉપયોગ કરી રહ્યા નથી. નિયમ સતત તોડવામાં આવી રહ્યા છે. લોકો એપને ફક્ત ડાઉનલોડ કરી રહ્યા છે, ઉપયોગ કરવામાં પાછળ જોવા મળે છે.