એશિયા કપમાં સુપર 4માં ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન અને શ્રીલંકા સામે હાર મળી છે. જાણો શું હજુ ફાઈનલમાં પહોંચી શકે છે ટીમ ઇન્ડિયા.
ટીમ ઇન્ડિયાની શ્રીલંકા સામે હાર
6 વિકેટથી શ્રીલંકાએ ભારતને માત આપી
સુપર 4માં પહેલા પાકિસ્તાન સામે પણ ઇન્ડિયા હારી હતી
ટીમ ઇન્ડિયાની શ્રીલંકા સામે હાર
ટીમ ઇન્ડિયા માટે એશિયા કપ 2022 કોઈ ખરાબ સપનાની જેમ રહ્યું છે. સુપર 4માં ટીમ ઇન્ડિયાને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા પાકિસ્તાન સામે હરનાર ટીમને હવે શ્રીલંકાએ 6 વિકેટથી માત આપી છે. આ હાર સાથે ભારતીય ટીમ એશિયા કપથી લગભગ બહાર થઇ ચુકી છે. પરંતુ સવાલ એ છે કે શું ટીમ ઇન્ડિયા પાસે હજુ પણ કોઈ ચાન્સ છે, જેથી તે ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી શકે?
ટીમ ઇન્ડિયા પાસે છે આ ચાન્સ
ફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઇન્ડિયાએ પોતાના છેલ્લા મુકાબલામાં અફઘાનિસ્તાન સામે એક મોટા અંતરથી જીત મેળવવી પડશે. એટલું જ નહીં, પોતાની જીત સાથે ભારતીય ટીમે એ પણ પ્રાર્થના કરવી પડશે કે બીજી ટીમો પોતાની મેચ હારી જાય, જેમકે આજે જો અફઘાનિસ્તાન પાકિસ્તાનને હરાવી દે છે, તો ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં બની રહેશે. જ્યારે જો પાકિસ્તાન જીતશે તો ભારતનું બહાર થવું નક્કી જ છે. હવે આવામાં આજની મેચ પર ઘણું બધું નિર્ભર કરે છે.
શ્રીલંકાએ પણ પાકિસ્તાન સામે જીતવું પડશે
ભારતની મુસીબત અહીં પૂરી ન્તાહી થતી. અફઘાનિસ્તાન સામે જો પાકિસ્તાનની ટીમ હારી જાય છે, તો ઇન્ડિયાએ વધારે એક મેચની રાહ જોવી પડશે. આ મેચ થશે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે. જો શ્રીલંકા આ મેચમાં જીતે છે તો ટે સતત ૩ જીત સાથે ફાઈનલમાં પહોંચી જશે. જ્યાર બાદ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતની 1-1 જીત થશે. પછી ફાઈનલમાં પહોંચનાર ટીમનો નિર્ણય નેટ રન રેટનાં આધાર પર લેવામાં આવશે.
ટીમ ઇન્ડિયાની હાર
હાલમાં ટીમ ઇન્ડિયા એશિયા કપ 2022થી બહાર થવાની કગાર પર છે. ટીમ ઇન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં બે મુકાબલા જીત્યા હતા, પણ સુપર 4માં તે સંપૂર્ણપણે ફેલ રહી. એશિયા કપ ૨૦૨૨નાં સુપર 4માં ટીમ ઇન્ડીયાએ સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પહેલા પાકિસ્તાન અને પછી શ્રીલંકાએ ભારતીય ટીમને માત આપી.