શરદ પવારે કૃષિ કાયદાઓને લઈને મોદી સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે, "લોકશાહીમાં સરકાર કેવી રીતે કહી શકે કે તે સાંભળશે નહીં કે કે પોતાનું વલણ બદલશે નહીં." એક રીતે જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની માથે આ કાયદાઓ થોપવામાં આવ્યા છે.
મોદી સરકારે ખેડૂતોની માથે કાયદા થોપ્યા : શરદ પવાર
સરકાર જો ખેડૂતોનું સમાધાન લાવવામાં નિષ્ફળ જશે તો વિપક્ષો રણનીતિ ઘડશે : NCP ચીફ
સરકારે વિરોધ પ્રદર્શનોને ગંભીરતાથી લેવાની જરૂર છે : શરદ પવાર
NCP ના વડા અને પૂર્વ કૃષિ પ્રધાન શરદ પવારે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારે રાજ્યોની સલાહ લીધા વિના કૃષિ સંબંધિત ત્રણ કાયદા થોપી દીધા છે. તેમણે કહ્યું કે, ખેતીની બાબતો પર દિલ્હીમાં બેસીને કાર્યવાહી કરી શકાતી નથી, કારણ કે દૂરના ગામોમાં રહેતા ખેડૂતો આ સાથે સંકળાયેલા છે.
સરકારે એવા નેતા મોકલવા જોઈએ, જેમને ખેતી અને ખેડૂતની સમજણ હોય : પવાર
શરદ પવારે ખેડૂતોનાં સંગઠનો સાથે વાટાઘાટો કરવા માટે રચાયેલા ત્રણ સભ્યોનાં મંત્રીઓનાં જૂથની રચના અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે શાસક પક્ષે તેવા નેતાઓને આગળ કરવા જોઈએ જેમની પાસે કૃષિ અને ખેડૂતો ના પ્રશ્નો અંગે ઊંડી સમજ છે. શરદ પવારે કહ્યું કે સરકારે વિરોધ પ્રદર્શનને ગંભીરતાથી લેવાની જરૂર છે અને ખેડૂત આંદોલન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષો પર દોષ ઢોળી નાખ્યો તે યોગ્ય નથી.
તેમણે કહ્યું કે, જો સરકાર 40 યુનિયનોના પ્રતિનિધિઓ સાથે આગામી બેઠકમાં ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન કાઢવામાં નિષ્ફળ જશે, તો વિપક્ષી પાર્ટીઓ બુધવારે ભાવિ પગલા અંગે નિર્ણય લેશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે દાવો કર્યો હતો કે મનમોહનસિંઘની આગેવાનીવાળી યુપીએ સરકારમાં તત્કાલીન કૃષિ પ્રધાન તરીકે પવાર કૃષિ સુધારણા ઇચ્છતા હતા, પરંતુ રાજકીય દબાણ હેઠળ આવું કરી શક્યા ન હતા, એમ NCP નેતાએ કહ્યું કે તેઓ ચોક્કસપણે આ ક્ષેત્રમાં કેટલાક સુધારા ઇચ્છતા હતા પરંતુ ભાજપ સરકારે જે રીતે કર્યું તે રીતે તેઓ નહોતા કરવા માંગતા.
સરકારની પ્રાથમિકતા સમાધાન શોધવાની નથી: NCP પ્રમુખ
પવારે કહ્યું કે સુધારા પહેલા તેમણે તમામ રાજ્ય સરકારોનો સંપર્ક કર્યો હતો અને તેમની સમસ્યાઓના નિદાન પહેલા તેઓ આગળ વધ્યા ન હતા. NCP નેતાએ કહ્યું કે, "હું અને મનમોહન સિંઘ કૃષિ ક્ષેત્રમાં કેટલાક સુધારા લાવવા માગતા હતા, પરંતુ હાલની સરકાર જે રીતે લાવ્યા છે તે પ્રમાણે નહીં." તે સમયે કૃષિ મંત્રાલયે કૃષિ પ્રધાનો અને તમામ રાજ્યોના નિષ્ણાતો સાથે સૂચિત સુધારા અંગે ચર્ચા કરી હતી.
શરદ પવારે મોદી સરકાર પર નિશાન સાધતાં કહ્યું, "જો સરકાર સરકારની પ્રાથમિકતા હોત તો આ સમસ્યા આટલા લાંબા સમય સુધી લંબાઈ ન હોત. અને જો તેઓ કહે છે કે વિરોધ કરનારાઓ ફક્ત હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂત છે, તો સવાલ એ છે કે શું તેઓએ દેશની એકંદર ખાદ્ય સુરક્ષામાં ફાળો આપ્યો નથી.? આ સાથે જ તેમણે સરકારને MSP અંગે ખેડૂતોની શંકા દૂર કરવા અંગે પણ કહ્યું હતું.