ભર કોરોનાની મોસમ વચ્ચે દેશમાં હાલમાં એક બીજી પણ ઋતુ ચાલી રહી છે, રાજકારણની ઋતુ. આ ઋતુમાં રાજકારણીઓ તેમના તમામ કામધંધા છોડીને પ્રજાની સામે કાલાવાલા કરવા લાગી જાય છે, ચૂંટણીની સીઝનમાં માટે મેળવવા માટે તેઓ કોઈને પણ ઉતારી પાડવામાં શરમ અનુભવતા નથી.
ફરી એકવાર રડ્યા MP ના મંત્રી
CM શિવરાજ ની હાજરીમાં જ રડી પડ્યા
કમલનાથ પર કર્યો વળતો પ્રહાર
દેશમાં હાલમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ હોવાથી ત્યાં પ્રચાર પડઘમ વાગી રહયા છે, જો કે મધ્યપ્રદેશમાં પણ પેટાચૂંટણી હોવાથી ત્યાં પણ વિવાદિત નિવેદનોની હારમાળા લાગી છે, થોડા સમય પહેલા મધ્યપ્રદેશના એક મહિલા મંત્રીને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ 'આઈટમ' કહ્યા હતા, આ મુદ્દે આ મહિલા નેતા રડ્યા ટો ખરા પણ સામે તેમણે પણ એક વધુ વિવાદિત કમેન્ટ આપી જ દીધી.
સિંધિયા જૂથના બળવાખોર ધારાસભ્ય હતા ઇમરતી દેવી
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ માંથી પક્ષપલટો કરીને ગયેલા સિંધિયા જૂથના 28 ધારાસભ્યોમાં એક મહિલા નેતા ઇમરતી દેવી પણ હતા, આ ઇમરતી દેવીને હાલની શિવરાજ સરકાર માં મંત્રી પદ અપાયું છે, જો કે તેમણે પક્ષપલટો કર્યો હોવાથી તેમને પેટાચૂંટણી ફરીથી લડવી પડશે, જેમાં પ્રચાર દરમિયાન મપ્રના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે ઇમરતી દેવી વિશે એક વિવાદિત કમેન્ટ કરી હતી, તેમણે ઇમરતી દેવીને આઈટમ કહ્યા હતા.
ફરી રડ્યા ઇમરતી દેવી
આ નિવેદન સાંભળ્યા બાદ જો કે ઇમરતી દેવી પહેલા પણ એકવાર રડી ચૂક્યા છે, પરંતુ આજે એક કાર્યક્રમમાં હાલના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ મુદ્દે કમલનાથ પર પ્રહાર કરતાં હતા ત્યારે તેઓ ફરી રડી પડ્યા હતા. તેઓ CM શિવરાજ ની ઉપસ્થિતિમાં મંચ પર જ રડી પડ્યા હતા.
નોંધનીય છે કે આ મુદ્દે કમલનાથ ની ઘણી આલોચના થઈ હતી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે મને અંગત રીતે આ પ્રકારની ભાષા પસંદ નથી, જ્યારે કે ભાજપ સહિતના પક્ષોએ કોંગ્રેસ પાસે માફીની માંગવાની માંગણી કરી હતી, ખાસ તો માયાવતીએ પણ અ મુદ્દે કોંગ્રેસને જાહેરમાં માફી મંગવાનું કહ્યું હતું.
હવે ઇમરતી દેવીએ કર્યું વિવાદિત નિવેદન
આ મામલે એક વિડીયો વાયરલ થયો છે જેમાં ઇમરતી દેવી કહી રહી છે કે કમલનાથ બંગાળના છે માત્ર મુખ્યમંત્રી બનવા માટે મધ્યપ્રદેશ આવ્યા હતા,તેમને બોલવાનું કોઈ ભાન નથી, મુખ્યમંત્રી પદથી દૂર થયા તો પાગલ થઈ ગયા છે, હવે આખાય પ્રદેશમાં ગાંડાની જેમ ફરી રહ્યા છે, તેઓ કઈં પણ બોલી શકે છે, તેમની માં અને બહેન બંગાળની આઈટમ હશે, અમને કઈ રીતે ખબર હોય?''