બિહાર ભાજપે પેટાચૂંટણીમાં મોડેથી તેના C પ્લાન નો ઉપયોગ ન કર્યો હોત તો લડાઈ બરાબરીમાં સમાપ્ત થઈ ન હોત. ભાજપના C પ્લાનની સફળતા પણ નીતિશ-તેજશ્વી માટે ખતરાની ઘંટડી સમાન
બિહાર પેટાચૂંટણીના પરિણામો બાદ ગોપાલગંજ-મોકામામાં ભાજપની જીત
બીજેપીનો C પ્લાન ( ચિરાગ પાસવાન) કામ કરી ગયો અને મળી ભવ્ય જીત
છેલ્લા રાઉન્ડમાં ભાજપે ચિરાગ પાસવાનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા અને જીત
બિહારમાં રાજનીતિને લઈ અનેક વાર ચર્ચા થતી હોય છે. પરંતુ તાજેતરમાં થયેલ પેટાચૂંટણીને લઈ ફરી એકવાર બિહારની રાજનીતિ ચર્ચામાં આવી છે. બિહારમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો બાદ રાજકીય પક્ષો તરફથી અલગ-અલગ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ ચૂંટણી પરિણામે ભાજપને મોટી સલાહ પણ આપી છે. સાથે જ એ પણ કહેવામાં આવ્યું કે, બિહાર ભાજપમાં હજુ પણ નેતૃત્વનો અભાવ છે. જો બિહાર ભાજપે પેટાચૂંટણીમાં મોડેથી તેના C પ્લાન નો ઉપયોગ ન કર્યો હોત તો લડાઈ બરાબરીમાં સમાપ્ત થઈ ન હોત. જોકે અહીં ભાજપના C પ્લાન ની સફળતા પણ નીતિશ-તેજશ્વી માટે ખતરાની ઘંટડી સમાન છે.
બિહાર વિધાનસભાની પેટાચૂંટણીમાં જો બીજેપી પોતાનો 'C પ્લાન' એટલે કે ચિરાગ પાસવાનને મેદાનમાં ન ઉતારે તો શું થાત ? જાણકારોનું કહેવું છે કે, જો ચિરાગ પાસવાન ભાજપની સાથે ન આવ્યા હોત તો લડાઈ સરખી રીતે સમાપ્ત થઈ ન હોત. સંકેત સ્પષ્ટ છે કે, જો બીજેપી કેન્દ્રીય નેતૃત્વએ ચિરાગ પાસવાનને બિહારમાં ચૂંટણી મેદાનમાં ઉતાર્યા ન હોત તો ભાજપની હોડી ડૂબવાની તૈયારીમાં હતી!
તો શું "ચિરાગ"ના "પ્રકાશ"માં કમળ ખીલ્યું ?
બિહાર ભાજપના નેતાઓ ભલે ગમે તે કહે પરંતુ આંકડા તેની સાક્ષી પૂરે છે. જો ભાજપ ગોપાલગંજ જેવી પરંપરાગત સીટ પર 2 હજાર મતથી જીતે છે તો તેનો શ્રેય ચિરાગ પાસવાનને જાય છે. નિષ્ણાતો કહે છે કે, પ્રારંભિક તબક્કામાં પાસવાન જાતિના મતદારો આરજેડીના ઉમેદવારની તરફેણમાં હતા, પરંતુ છેલ્લા રાઉન્ડમાં ભાજપે ચિરાગ પાસવાનને ચૂંટણી મેદાનમાં ઉતારીને રમત બગાડી નાખી. ચિરાગ પાસવાને ગોપાલગંજમાં રોડ શો કરીને સમગ્ર વાતાવરણ બદલી નાખ્યું હતું. જેનું પરિણામ સૌની સામે છે.
મહત્વનું છે કે, પેટાચૂંટણીના પરિણામો બાદ મહાગઠબંધનના નેતાઓ કરતાં ભાજપના નેતાઓ વધુ ખુશ છે. એવું કેમ ન હોય લગભગ 27 વર્ષ પછી ભાજપ મોકામા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહી હતી. એક રીતે આપણે કહી શકીએ કે, ભાજપ નીતીશ કુમારને તેમના ઘરમાં પડકારી રહી હતી. મોકામા એક સમયે બાઢ સંસદીય મતવિસ્તારનો ભાગ હતો. નીતિશ કુમાર લાંબા સમયથી બાઢના સાંસદ છે. આવી સ્થિતિમાં તેમને મોકામા જેવી સીટ પર લગભગ 63 હજાર વોટ મળ્યા. મોકામામાં પહેલીવાર ચૂંટણી લડી રહેલ ભાજપ 63 હજાર મતો લાવીને પોતાની જીત અને મહાગઠબંધન સરકારની હાર બતાવી રહી છે. આમાં પણ ચિરાગ પાસવાને મહત્વની ભૂમિકા ભજવી છે.
નોંધનીય છે કે, જ્યારે મોકામામાં ચૂંટણી પ્રચાર છેલ્લા તબક્કામાં હતો. છેલ્લો દિવસ હતો તેથી ભાજપે ચિરાગ પાસવાનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા અને રોડ શો કર્યો. જાણકારોનું કહેવું છે કે, ચિરાગના રોડ શોમાં ઉમટેલી ભીડએ વોટિંગના બે દિવસ પહેલા વાતાવરણ બદલી નાખ્યું હતું. ખરેખર ચિરાગ માટે ન તો મોકામા નવું હતું, ન ત્યાંના લોકો માટે. 2020ની વિધાનસભા ચૂંટણીમાં ચિરાગે પોતાના દમ પર ઉમેદવાર ઊભો રાખ્યો હતો. તે સમયે એલજેપીના ઉમેદવારને 13 હજારથી વધુ વોટ મળ્યા હતા. કહેવાય છે કે, ચિરાગ પાસવાનના રોડ શો બાદ સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું હતું. પાસવાન મતદારોની સાથે, મતદારોના અન્ય વર્ગોને પણ એવું લાગવા લાગ્યું કે ભાજપ રેસમાં છે. જેના પરિણામે ભાજપ 63 હજાર મત મેળવવામાં સફળ રહ્યો હતો.