બાલકૃષ્ણન પોતાને જીઈઆરડીની બિમારીથી પોતાને સ્વસ્થ રાખવા માટે છેલ્લા 24 વર્ષથી માત્ર નારિયેળનું પાણી પીને જીવે છે. એક્ટર ટ્રાવેલર ઈન્ફ્લુએન્સર શહેનાઝ ટ્રેઝરીએ ઈન્સ્ટાગ્રામ પર તેમની એક સ્ટોરી શેર કરી છે.
છેલ્લા 24 વર્ષથી નારિયેળ સિવાય કંઈ ખાધું નથી
શહેનાઝ ટ્રેઝરીએ ઈન્સ્ટાગ્રામ પર તેમની એક સ્ટોરી શેર કરી
લોકો પણ હેરાન છે આ કઈ રીતે બની શકે
આજકાલની ભાગદોડવાળી લાઈફસ્ટાઈલમાં લોકો પોતાને ફિટ રાખવા માટે ઘણુ બધુ કરતા હોય છે. પરંતુ એક વ્યક્તિએ આવું જ કંઈક કર્યું છે. જેની કલ્પના કદાચ કોઈ ન કરી શકે. બાલકૃષ્ણન નામના વ્યક્તિએ ગેસ્ટ્રોઓસોફેગલ રિફ્લક્સ બિમારીના કારણે એક આવો નિર્ણય લીધો. જેને સાંભળીને કોઈપણ હેરાન થઈ જશે. બાલકૃષ્ણન પોતાને જીઈઆરડીની બિમારીથી પોતાને સ્વસ્થ રાખવા માટે છેલ્લા 24 વર્ષથી માત્ર નારિયેળનું પાણી પીને જીવે છે. એક્ટર ટ્રાવેલર ઈન્ફ્લુએન્સર શહેનાઝ ટ્રેઝરીએ ઈન્સ્ટાગ્રામ પર તેમની એક સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે લખ્યું છે કે શ્રી બાલકૃષ્ણન અને તેમના સારા સ્વાસ્થ્ય માટે એક દિલ તો બને છે. તમે આ પોસ્ટ પર તેમના માટે પ્રેમ વ્યક્ત કરી શકો છો. 24 વર્ષથી નારિયેળ પાણી પર જીવે છે
શહેનાઝે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ વ્યક્તિ ખોરાક તરીકે માત્ર નારિયેળ ખાય છે અને નારિયેળ પાણી પીને જીવે છે, મે જ્યારે આ વાત સાંભળી ત્યારે હું ચોંકી ગઈ હતી. મેં તેમને પણ પૂછ્યું કે તે પ્રોટીન નથી લેતા ? તેની અસર ફિલ નથી થતી. તેના પર તેઓ કહે છે કે આટલા વર્ષોના જીવનમાં સ્વાસ્થ્ય ક્યારેય સારુ નથી રહ્યું. હંમેશા કોઈને કોઈ કારણોસર ખરાબ રહે છે. તેથી મેં આ નિર્ણય લીધો. બાલકૃષ્ણનના એક વિડિયોમાં, તેણે એમ કહીને શરૂઆત કરી છે કે, તેમણે છેલ્લા 24 વર્ષથી નારિયેળ સિવાય કંઈ ખાધું નથી.
શહેનાઝે એક વીડિયો શેર કર્યો છે. જેમાં બાલકૃષ્ણન જણાવી રહ્યા છે કે જ્યારે તેમને તેમની બીમારી જીઈઆરડી વિશે ખબર પડી. ત્યારે તેમણે તમામ તાકાત તેને ઠીક કરવા માટે લગાવી હતી. ત્યારબાદ તેની સારવારના ભાગરૂપે તેમણે નારિયેળ ખાવાનું અને પાણી પીવાનું શરૂ કર્યું.
નારિયેળ ખાવાથી તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો
વીડિયોમાં બાલકૃષ્ણન જણાવે છે કે કેઈ રીતે નારિયેળ ખાવાથી તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો, તેમણે જોયું કે નાળિયેરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને પોટેશિયમ જેવા ખનિજ હોય છે. જેનાથી તેમને તાકાત પરત મેળવવામાં મદદ મળી અને હવે તે ફિટ છે. તેઓ માત્ર નાળિયેર ખાય છે.
બાલકૃષ્ણનની આ સ્ટોરી સાંભળી લોકો વધુ હેરાન હતા કારણ કે તેમણે જણાવ્યું હતું કે તેઓ બે દાયકાથી વધુ સમયથી માત્ર નારિયેળ ખાયને જીવે છે. માત્ર નારિયેળ ખાવું અવિશ્વસનીય છે. એક યૂઝર્સે કોમેન્ટ કરતી વખતે લખ્યું કે લોકો માત્ર નારિયેળ ખાવાથી કેવી રીતે જીવી શકે છે.
જીઈઆરડી વાળા લોકોને શું માત્ર નાળિયેર ખાવાની સલાહ આપવામાં આવે છે. આવો જાણીએ શું છે આ બીમારી? જીઈઆરડી અથવા ગેસ્ટ્રોઓસોફેગલ રિફ્લક્સ બિમારી છે. જેમાં એસિડ રિફ્લક્સ થાય છે. નારાયણા સુપરસ્પેશયાલિટી હોસ્પિટલના ઈંટરનલ મેડિસિનના સીનિયર કંસલ્ટન્ટ ડો. તુષાર તાયલના જણાવ્યા અનુસાર તે પાચન સંબંધી રોગ છે જેમાં પેટમાં એસિડ કે પિત્ત ખોરાકની નળીના અસ્તરમાં બળતરા કરે છે. આ એક જૂનો રોગ છે જે ત્યારે થાય છે જ્યારે પેટમાં એસિડ અથવા પિત્ત ખોરાકની નળીમાં વહે છે અને અસ્તરને બળતરા કરે છે. જીઈઆરડીવાળા વ્યક્તિઓએ આ ટાઈપના ડાયેટને ફોલો કરવું જોઈએ
ઓટમીલ અને બ્રાઉન રાઇસ તેમજ શક્કરીયા, ગાજર અને બીટ જેવા શાકભાજી લેવા જોઈએ. લીલા શાકભાજી જેમ કે શતાવરી, બ્રોકોલી અને લીલી કઠોળ ફાયદાકારક છે.