તેમાં પ્રશાંત જોશીએ સાગર ભારતીના સંઘપ્રાંત સંયોજકની જવાબદારી સંભાળી ચુક્યા છે. તેમજ તેઓ તાલુકા, જિલ્લા લેવલે પણ જવાબદારીઓ નિભાવી ચુક્યા છે. જયારે ચીમન ગજેરા ખેડૂત આગેવાન છે. તેમણે અમરેલી જિલ્લાનાં ખેડૂત માટે આગેવાની કરી છે.
લોકસભાની ચૂંટણીના ઢોલ ઢબૂકતા જ દરેક રાજકીય પક્ષ હરકતમાં આવ્યા છે અને પોતાનો પક્ષ વધુ મોટી રીતે ઉભરી આવે અને સત્તામાં આવે તે માટે કમર કસી છે. આ તમામ બાબતો વચ્ચે રાજકીય પક્ષો દ્વારા તોડજોડની રાજનીતિ પણ શરૂ થઇ છે.
જેને પરિણામે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપમાં અને કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. ત્યારે આજરોજ સંઘના પ્રશાંત જોશી અને ખેડૂત આગેવાન ચીમન ગજેરા કોંગ્રેસમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો હતો.
અમદાવાદ ખાતે આવેલ કોંગ્રેસના સત્તાવાર કાર્યાલય ખાતે આ બંન્ને અગ્રણીઓ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. જેમનું સ્વાગત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી તથા અન્ય નેતાઓએ પક્ષનો ખેસ પહેરાવીને કર્યું હતું.