કોંગ્રેસના અસંતુષ્ટ જૂથના નેતાઓએ પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે સિનિયર નેતા મુકુલ વાસનીકનું નામ વહેતું કર્યું હોવાનો સૂત્રોનો દાવો છે.
કોંગ્રેસ અધ્યક્ષ પદે મુકુલ વાસનીકના નામની ચર્ચા
કોંગ્રેસના સિનિયર નેતાઓેએ અધ્યક્ષ પદે વાસનીકનું નામ મૂક્યું
ગાંધી પરિવારે આ નામ ફગાવ્યું હોવાનો સૂત્રોનો દાવો
કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓના જૂથ જી-23એ મુકુલ વાસનિકને પાર્ટી અધ્યક્ષ પદ માટે સૂચવ્યું હતું, જેનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને આ જાણકારી આપી છે. "જી-23એ પાર્ટી અધ્યક્ષ પદ માટે મુકુલ વાસનિકનું નામ સૂચવ્યું હતું, પરંતુ તેનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. જી-23માં આનંદ શર્મા, ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે.
નવા અધ્યક્ષે સોનિયા ગાંધીની જેમ પાર્ટીનું સંચાલન કરવું જોઈએ-જી-23ના નેતાઓ
G23ના નેતાઓએ એવું પણ કહ્યું હોવાનું કહેવાય છે કે નવા અધ્યક્ષે ઠીક એવી રીતે પાર્ટીનું નેતૃત્વ કરવું જોઈએ કે જેવી રીતે 2000ની શરુઆતમાં સોનિયાએ ગાંધીએ કર્યું હતું.
શું ગાંધી પરિવારના સભ્યો તમામ સંગઠનાત્મક હોદ્દાઓ પરથી રાજીનામું આપશે?
આ સાથે જ કોંગ્રેસ પાર્ટીએ ગાંધી પરિવારના સભ્યો તમામ સંગઠનાત્મક પદો પરથી રાજીનામું આપશે તેવા અહેવાલોને નકારી કાઢ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી રવિવારે સાંજે 4 વાગ્યે પાર્ટી મુખ્યાલયમાં કોંગ્રેસની ટોચની નીતિ-નિર્માણ સંસ્થા સીડબ્લ્યુસીની બેઠકની અધ્યક્ષતા કરશે. cwcની આ બેઠક એવા સમયે યોજાવા જઈ રહી છે જ્યારે પંજાબમાં કોંગ્રેસે સત્તા ગુમાવી હતી અને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
સૂત્રોએ કહ્યું-રાહુલ ગાંધી ક્યારેક ખુલ્લા મને વાત કરતા નથી
સૂત્રોનોદાવો છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ નથી પરંતુ તેઓ પરદા પાછળ રહીને કામ કરતા હોય છે અને નિર્ણય લેતા હોય છે તેઓ ક્યારેય પણ ખુલ્લા મને વાત કરતા નથી.