ભારતમાં કોલોન કેન્સરના કેસ પશ્ચિમી દેશોની સરખામણીમાં ઘણા ઓછા છે. સંશોધકોએ કહ્યું છે કે તેનું કારણ એ છે કે ભારતમાં લોકો ખોરાકમાં આ ખાસ મસાલાનો ઉપયોગ કરે છે. તેનાથી કેન્સરનું જોખમ ઓછું થાય છે.
ભારતીય મસાલો કેન્સરનું જોખમ અટકાવે
બ્રિટનના સંશોધનકર્તાએ કર્યો દાવો
ભારતીય પુરુષોને કેન્સરનું જોખમ ઓછું
કયો મસાલો અટકાવે છે જોખમ?
સંશોધકોના જણાવ્યા અનુસાર, હળદરમાં હાજર કર્ક્યુમિન કેન્સરના કોષોને મારીને 80 ટકા સુધી ટ્યુમરની વૃદ્ધિને અટકાવે છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે હળદરમાં રહેલ કર્ક્યુમિન એક સક્રિય ઘટક છે, જે ઘણા રોગોથી છુટકારો મેળવવાની ક્ષમતા ધરાવે છે. યુકે કેન્સર રિસર્ચના કહ્યાં અનુસાર, હળદરમાં હાજર કર્ક્યુમિન કેન્સરના કોષોને મારી નાખવામાં સક્ષમ છે.
હળદરમાં રહેલ આ વિશેષ તત્વ કામ કરે છે
NutritionFacts.org વેબસાઈટ પર પ્રકાશિત થયેલા એક લેખમાં અમેરિકન ફિઝિશિયન માઈકલ ગ્રેગોર જણાવે છે કે પશ્ચિમી દેશોની સરખામણીમાં જે વિસ્તારોમાં હળદરનો આહારમાં સૌથી વધુ ઉપયોગ થાય છે તેવા વિસ્તારોમાં કોલોન કેન્સરના કેસ ઘણા ઓછા છે. પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં કેન્સરના કેસ ઓછા છે. સંશોધકોના મતે પ્રોસ્ટેટ કેન્સર ભારતીય પુરુષો કરતાં અમેરિકન પુરુષોમાં વધુ જોવા મળે છે.
ભારતીય આહાર કેન્સરનું જોખમ ઘટાડે છે
ડૉ.ગ્રેગરે જોયું કે ખાવાની આદતો તેનું કારણ છે. તેમાં માંસનો ઓછો વપરાશ, મોટાભાગે છોડ આધારિત આહાર અને મસાલાનું વધુ સેવન સામેલ છે. ડો. માઈકલ ગ્રેગરે ભારતીય આહાર વિશે જણાવ્યું કે 40 ટકા ભારતીયો શાકાહારી છે. માંસ ખાનારાઓ પણ વધુ માંસ ખાતા નથી. ભારતીય લોકો ઘણા બધા કઠોળ ખાય છે અને ઘણા પ્રકારના મસાલા ખાય છે. આ વસ્તુઓ કેન્સર જેવી ગંભીર બીમારીના જોખમ સામે રક્ષણ આપે છે.
આ રીતે કામ કરે છે હળદર
ડો. ગ્રેગરે જણાવ્યું હતું કે ભારતીય મસાલા હળદરમાં કર્ક્યુમિન એ એક એવું એજન્ટ છે, જે હાલમાં કેન્સરને રોકવા માટે ક્લિનિકલ ટ્રાયલ હેઠળ છે. સંશોધન દર્શાવે છે કે હળદરમાં હાજર કર્ક્યુમિન ત્રણ સ્તરો પર કાર્ય કરે છે. તે કાર્સિનોજેન્સ આપણા કોષો સુધી પહોંચે તે પહેલા જ તેનું કામ શરૂ કરી દે છે. યુકે કેન્સર રિસર્ચ કહે છે કે કર્ક્યુમિન કેન્સર વિરોધી ગુણધર્મો ધરાવે છે. તે સ્તન કેન્સર, કોલોન કેન્સર, કોલોન કેન્સર અને ત્વચા કેન્સર કોષોને અસર કરી શકે છે.