દવાખાનાનું પગથિયું ચડે એટલે દર્દીને કડવા જ અનુભવ થાય છે તેવું માનવામાં આવે છે, પણ આ માન્યતા જયારે જામનગર ના પદ્મશ્રી ડો. કે.એમ.આચાર્યના કલીનીક પર કોઈ જાય તો બદલાઈ જાય છે, હાલ મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ગાંધી વિચારને લઈને અનેક કાર્યક્રમો થઇ રહ્યા છે પણ જામનગરના આ તબીબ તો વર્ષોથી એક અનોખો પ્રયોગ કરી રહ્યા છે.
જામનગરના અનોખી ડોક્ટર
બાળ દર્દીઓને દવાની સાથે આપે છે ગાંધીજીની આત્મકથા
અત્યાર સુધીમાં 5000 આત્મકથાનું કરી ચૂક્યા છે વિતરણ
સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો, આચાર્યના ક્લિનિકમાં જાય તો ઘડીભર તો કોઈ ને એમ લાગે કે કોઈ ગાંધી સ્થળે આવી ગયા છીએ. હોસ્પિટલ ના આગળના દર્દીઓ માટેના વેઇટિંગ ખંડમાં ગાંધીજી ની મોટી તસવીરો જોવા મળે છે. ગાંધી વિચારોથી પ્રભાવિત ડો કે એમ આચાર્ય પોતાના દવાખાને આવતા બાળ દર્દીઓને મહાત્મા ગાંધીની આત્મકથા નું પુસ્તક ભેટમાં આપે છે, કોઈ દવાખાનામાં એવું સરસ પુસ્તક ભેટમાં અપાતું હોય તેવું ક્યાંય જોવા તો ઠીક સાંભળવા પણ મળ્યું નથી.
19 બાળકો ગાંધી વિચારથી પ્રેરાયા
તબીબી વ્યવસાયને કમાણીનું સાધન માનવને બદલે લોકોની સેવા નું માધ્યમ માનનાર ડો. આચાર્યએ અત્યાર સુધીમાં આ પ્રકારે 5000 જેટલી આત્મકથાઓ આપી છે અને તેના હકારાત્મક પરિણામો મળ્યા છે. ડો આચાર્ય ના કહેવા મુજબ 19 ટકા જેટલા વિદ્યાર્થીઓ (બાળ દર્દી )ઓ એ ગાંધી વિચારથી પ્રભાવિત થઇને ખાદીના એક જોડી કપડાં સીવડાયા હતા તો 30 ટકા એ પરીક્ષામાં ચોરી ન કરવાના અને 26 ટકા એ સત્ય બોલવાનો સંકલ્પ લીધો હતો.
બાળ દર્દીઓને ડોક્ટર ભેટમાં આપે છે ગાંધીજીની આત્મકથા
ગાંધી વિચારને સમાજમાં શક્ય હોય ત્યાં સુધી ફેલાવવા માટે એક મિશન ના સ્વરૂપમાં કામ કરી રહેલા ડો આચાર્યએ ગાંધી વિચાર ને જીવતો રાખવાતો પોતાનું જીવન સમર્પિત કરી આપ્યું છે, એક સેવાભાવી તબીબ ની છબી ધરાવનારા ડો આચાર્ય એ પણ રક્તપિત્તના રોગી ની સેવા માટે પણ તેમનું નોંધપાત્ર યોગદાન છે.
સૌરાષ્ટ્ર- ગુજરાત માં રક્તપિત્તના દર્દીઓને માત્ર રોગ મટાડવા પૂરતું જ નહિ પણ સમાજમાં તે સ્વમાનથી રહી શકે અને રોજગાર મેળવી શકે ત્યાં સુધી તેની સંભાળ રાખે છે, ભારત સરકારે ડો કે.એમ આચાર્યને પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા છે.