વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સની અંદર ફાટેલી નોટ, કોઈ ફોટો અથવા ખરાબ કાગળ ન રાખવો જોઈએ. તેનાથી પૈસાની આવકમાં ઘટાડો થાય છે.
પર્સની અંદર આ વસ્તુઓ રાખવાની ના કરતા ભૂલ
ફાટેલી નોટ અને ફોટો ઘટાડી શકે છે આવક
જાણો પર્સમાં કઈ વસ્તુઓ રાખવાથી થાય છે નુકસાન
કોણ ન ઈચ્છે કે તેની પાસે ઘણા બધા પૈસા હોય. દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેની પાસે ઘણા પૈસા હોય, ઘર હોય. પરંતુ કેટલાક લોકો પાસે પૈસા તો આવે છે પરંતુ તે થોડા જ સમયમાં સમાપ્ત થઈ જાય છે. તો આવો આજે અમે તમને કેટલાક ઉપાયો વિશે જણાવીશું જેને કરવાથી તમને ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડશે નહીં. આ સાથે જ મા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.
નકારાત્મક ઉર્જા વધારે છે આવી વસ્તુઓ
આપણા પર્સમાં પૈસા સિવાય પણ ઘણી વસ્તુઓ મુકેલી હોય છે. જેમાંથી ઘણી વસ્તુઓનો લાંબા સમય સુધી ઉપયોગ થતો નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમાંથી કેટલીક વસ્તુઓને પર્સમાંથી ફેંકી દેવી જોઈએ કારણ કે આ વસ્તુઓ આસપાસ નકારાત્મક ઉર્જા વધારે છે.
આ સાથે તમારે પૈસાના મામલામાં નુકસાન પણ સહન કરવું પડી શકે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ પણ છે જેને પર્સમાં રાખવાથી શુભ ફળ મળે છે.
ન રાખો ખરાબ કાગળ
પર્સમાં ફાટેલી નોટો, કોઈ ફોટોગ્રાફ્સ કે ખરાબ કાગળો ન રાખવા જોઈએ. આનાથી નાણાંની આવક ઓછી થાય છે. પર્સ જેટલું સ્વચ્છ અને તેની અંદર વસ્તુઓ જેટલી વ્યવસ્થિત રાખવામાં આવે તેટલું તમારા માટે સારૂ રહેશે.
તમારા પર્સમાં લક્ષ્મી માતાનો કાગળનો ફોટો જરૂર રાખો અને સમય-સમય પર બદલતા રહો. આનાથી તમારું પર્સ ક્યારેય ખાલી નહીં થાય. આ સિવાય તમે શ્રીયંત્ર પણ રાખી શકો છો કારણ કે તે લક્ષ્મીનું સ્વરૂપ છે.