લખીમપુર હિંસા મામલે ભાજપ પર જોરદાર નિશાન સાધતા બંગાળના સીએમ મમતા બેનરજીએ જણાવ્યું કે યુપીમાં રામરાજ્ય નહીં પણ કિલિંગ રાજ્ય છે.
લખીમપુર હિંસા મામલે મમતા બેનરજીનું નિવેદન
યુપીમાં રામરાજ્ય નહીં પણ કિલિંગ રાજ્ય
ભાજપ લોકશાહીમાં વિશ્વાસ ધરાવતો નથી
મમતા બેનરજીએ જણાવ્યું કે આ ઘણું દુખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આ ઘટનાની ટીકા કરવા માટે મારી પાસે શબ્દો નથી. ભાજપ લોકશાહીમાં વિશ્વાસ ધરાવતો નથી, તે ફક્ત નિરંકુશતા ઈચ્છે છે. શું આ રામરાજ્ય છે, ના, આ તો કિલિંગ રાજ્ય છે.
આ ઘટના અંગે વિપક્ષી દળોએ રેલી કરી
લખીમપુરની ઘટના સામે અનેક વિપક્ષી દળોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓ લખીમપુર ખેરી જઈ રહ્યા હતા પરંતુ પોલીસે તેમને અધવચ્ચે જ અટકાવી ને કસ્ટડીમાં લીધા હતા. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને લખનઉમાં તેમના વિક્રમાદિત્ય માર્ગ નિવાસસ્થાનની બહાર ધરણા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા કારણ કે તેમને લખીમપુર જવાની મંજૂરી નહોતી.
Kolkata | This is a very sad & unfortunate incident. I have no words to condemn this incident. They (BJP govt) don't believe in democracy, they only want autocracy. Is this 'Ram rajya'? No, this is 'killing rajya': West Bengal CM Mamata Banerjee on Lakhimpur Kheri violence pic.twitter.com/ZQ7CgiMsrF
રવિવારે પણ ભાજપ પર હુમલો કરવામાં આવ્યો હતો
આ ઉપરાંત છત્તીસગઢના મુખ્યમંત્રી પણ લખીમપુર ખેરી જવાના હતા પરંતુ તેમના વિમાનને લખનઉ એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ ઘટના બાદ તરત જ મમતા બેનર્જીએ રવિવારે ટ્વીટ કર્યું હતું કે તેમણે લખીમપુર ખેરીમાં બનેલી બર્બર ઘટનાની સખત નિંદા કરી હતી. અમારા ખેડૂત ભાઈઓ પ્રત્યે ભાજપની ઉદાસીનતા મને ખૂબ દુ:ખ પહોંચાડે છે.